RBI report : દેશમાં નકલી ચલણનો ખતરો સતત વધી રહ્યો છે, ખાસ કરીને રૂપિયા 500 અને રૂપિયા 200ની નોટો અંગે ચિંતા વધી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ 2024-25 મુજબ, રૂપિયા 500ની નકલી નોટોમાં 37.3% અને રૂપિયા 200ની નકલી નોટોમાં 13.9% નો વધારો થયો છે. અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ 2,17,396 નકલી નોટો પકડાઈ હતી. જો તમારી પાસે પણ આ નોટો છે, તો સાવધાન રહો - શું તમે પણ નકલી નોટોનો શિકાર બની રહ્યા છો ? ત્યારે આ લેખમાં અસલી અને નકલી નોટો કેવી રીતે ઓળખવી અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી વિશે જાણીશું.
95% નકલી નોટો બેંકો દ્વારા પકડવામાં આવી
RBI દ્વારા ફક્ત 4.7% નકલી નોટો પકડાવામાં આવી હતી, જ્યારે 95.3% નોટો અન્ય બેંકો દ્વારા પકડવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે નકલી નોટો સામાન્ય બેંકિંગ વ્યવહારો દ્વારા ફરતી થઈ રહી છે અને સામાન્ય લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
3 દિવસમાં 57 ગણો સબસ્ક્રાઇબ થયો આ IPO, રોકાણકારોએ ખુલ્લા હાથે કર્યું સ્વાગત
500 અને 200 રૂપિયાની નકલી નોટોની સંખ્યા
RBIના અહેવાલ અનુસાર, 500 રૂપિયાની નકલી નોટો 1,17,722 અને 200 રૂપિયાની નકલી નોટો 32,660 પકડાઈ હતી. આ આંકડા 2023-24 કરતા વધારે છે. જોકે, 2022-23માં નકલી નોટોની કુલ સંખ્યા 2,25,769 હતી જે 2024-25માં ઘટીને 2,17,396 થઈ ગઈ છે. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગની નકલી નોટો ખાનગી બેંકો દ્વારા પકડાઈ હતી, જેના કારણે સામાન્ય લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
500 રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી ?
200 રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે