Chhota Udepur News ; અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી માનસરોવરદાસજીએ બાળકોને લઈ હિન્દુઓને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ત્રણ બાળકો પેદા કરો. એક રાષ્ટ્રને આપો, બીજા બાળકને ધર્મને આપો અને ત્રીજાને તમારી સેવા માટે રાખો. સંત માનસરોવરદાસજીના નિવેદનને જગદગુરુ અવિચલ દેવાચાર્યાએ અનુમોદન આપ્યું.
ધર્મ જ નહિ બચે તો શું કરીશું...
છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ ઉમેશ રાઠવા દ્વારા પાવી જેતપુર ખાતે સંત આશીર્વાદ સંમેલન યોજાયું હતું, જેમાં માનસરોવરદાસજીએ લોકોને ત્રણ સંતાન પેદા કરવાં અપીલ કરી હતી. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગદગુરુ અવિચલદાસજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કંઈક તો નવાજૂની થશે! PM મોદીના ગુજરાત આગમન પહેલા મુખ્યમંત્રીને દિલ્હીથી તેડું આવ્યું
તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, આ સનાતન ધર્મનો ગોલ્ડ પિરિયડ છે. આવો સમય આપણા પૂર્વજોને નથી મળ્યો અને અનુજોને મળશે કે કેમ! અત્યારે આપણા દેશનું સુકાન સંભાળનારા બે શાસક નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે જોડાઈને રહેજો બધા. અમે બે અને અમારું એક એવું કહેવાનો સમય જતો રહ્યો છે. તમને સૌ સનાતનીઓને એક સાધુ તરીકે પ્રાર્થના છે કે ત્રણ સંતાન ઉત્પન્ન કરો. એક સંતાન રાષ્ટ્રને આપો, બીજું સંતાન ધર્મને આપો અને ત્રીજું સંતાન તમારી સેવામાં રાખો. અહીં સંતો છે તેમનાં ચરણોમાં બે શબ્દોની પ્રાર્થના છે કે જો સનાતન ધર્મ જ નહિ બચે તો હું અને તમે કોના આચાર્ય અને મંડલેશ્વર થઈ શકીશું. આ સમયમાં જે વટાળ પ્રવૃત્તિ ચાલે છે, એના પર રોક લાગવી જોઈએ.
આ સાથે જ અવિચલદાસજી મહારાજે પણ માનસરોવરદાસજી મહારાજની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે પણ હિન્દુ ધર્મની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, , આઝાદી સમયે 90% હિંદુ વસતિ હતી, જે હવે 80% થઈ ગઈ છે. તેમણે ચેતવણી આપી કે જ્યાં હિંદુ વસતિ ઘટી છે ત્યાં દેશનું વિભાજન થયું છે. તેમણે એક સંતાન ધરાવતા પરિવારોની મુશ્કેલીઓ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું હતું કે એકલા સંતાનના કિસ્સામાં કોઈ દુર્ઘટના થાય તો માતા-પિતા લાચાર બની જાય છે. આ ઉપરાંત એક સંતાનની પ્રથાએ સંયુક્ત પરિવારની ભાવનાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે આગળ કહ્યું હતું કે, આજે આપણે માટે ગોલ્ડન પિરિયડ છે, કારણ કે દેશમાં જ નહિ, વિદેશમાં પણ ભારતની અને ભારતીય સંસ્કૃતિની બોલબાલા છે, એટલે જ મિડલ ઇસ્ટના જે દેશમાં પહેલા અન્ય ધર્મનું પુસ્તક પણ ન લઈ જવાતું હતું ત્યાં અમે પાઠ કર્યા છે અને હવે ત્યાં હિન્દુ મંદિરો પણ બનાવાયાં છે. આ આપણી સરકારની શક્તિ અને મનોબળ છે. નરેન્દ્રભાઈએ ફક્ત પ્રચાર નથી કર્યો કે હિન્દુ મંદિરો બનાવો, પરંતુ તેઓ વિદેશમાં હિન્દુ સંસ્કૃતિના એમ્બેસેડર બનીને જાય છે. તેમની આ સત્તા જ આપણી સંસ્કૃતિને બચાવશે અને એ સત્તાને સત્તાસ્થાને લઈ જવાનું કામ સંતોનું છે.
અડધા ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું, 10 તાલુકામાં ત્રાટક્યો વરસાદ, ગોંડલમા તારાજી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે