Home> Entertainment
Advertisement
Prev
Next

'છોકરી ફક્ત પોતાની સુહાગરાત પર...'જ્યારે રેખાના એક નિવેદને મચાવ્યો હતો હંગામો

રેખાએ એકવાર લગ્ન પહેલા શારીરિક સંબંધ અંગે એક એવી વાત કરી હતી જેના કારણે હંગામો મચી ગયો હતો. જાણો અભિનેત્રીએ શું કહ્યું હતું. 

'છોકરી ફક્ત પોતાની સુહાગરાત પર...'જ્યારે રેખાના એક નિવેદને મચાવ્યો હતો હંગામો

બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા પોતાની પ્રોફેશનલ લાઈફ અને અંગત જીવન અંગે હંમેશા ચર્ચામાં રહ્યા છે. આ સાથે જ તેઓ ખુલીને કોઈ પણ મુદ્દા પર પોતાનો મત રજૂ કરે છે. પછી કોઈ ગમે તે કહે તેમને કશો ફરક પડતો નથી. 70 વર્ષના રેખા આજે પણ લાઈમ લાઈટમાં રહે છે. રેખાએ એકવાર એવું નિવેદન આપ્યું હતું કે હંગામો મચી ગયો હતો. વાત જાણે એમ હતી કે  રેખાએ પોતાની સેક્સ લાઈફ અને ગર્ભાવસ્થા અંગે ખુલીને વાત કરી હતી. 

fallbacks

યાસિર ઉસ્માને લખેલું પુસ્તક 'રેખા: કેસી પહેલી જિંદગાની' માં તેમની લાઈફ અંગે અનેક વાતોનો ઉલ્લેખ કરાયો છે. જેમાં રેખાના એ ઈન્ટરવ્યુનો પણ ઉલ્લેખ છે જેમાં તેમણે પોતાની સેક્સલાઈફ અને ગર્ભાવસ્થા વિશે વાત કરી હતી. રેખાએ કહ્યું હતું કે "તમે એક પુરુષ સાથે જ્યાં સુધી સેક્સ ન કરો ત્યાં સુધી તેની એકદમ નજીક આવી શકો નહીં." રેખાએ એવા લોકોને દંભી ગણાવ્યા હતા જે લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવાની વાતથી ફરી જતા હોય છે. તેમણે કહ્યું હતું કે, "લગ્ન પહેલા સેક્સ ખુબ સામાન્ય વાત છે અને જે લોકો  એમ કહેતા હો કે છોકરીએ સૌથી પહેલા ફક્ત પોતાની સુહાગરાત પર સેક્સ કરવું જોઈએ, તે બકવાસ કરે છે."

રેખાએ કહ્યું હતું કે ફક્ત મહિલાઓએ જ કેમ સૌથી પહેલા સુહાગરાત પર શારીરિક સંબંધ બાંધવો જોઈએ. તેમનું કહેવું હતું કે જ્યાં પ્રેમ હોય ત્યાં સંબંધ બાંધી શકાય છે. રેખાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે આ એક સંયોગ છે કે તે હજુ સુધી ગર્ભવતી થયા નથી. રેખાના આ પ્રકારના નિવેદનથી તે સમયે હંગામો મચી ગયો હતો. અત્રે જણાવવાનું કે રેખાના જીવનમાં તેમના અનેક અફેર રહ્યા છે. રેખાનું નામ અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા સહિત કલાકારો સાથે જોડાયું હતું. રેખાએ વર્ષ 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 મહિના બાદ તેમના પતિએ આત્મહત્યા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More