Kutch News : ગુજરાતમાં હવે પાશ્ચાત્ય સંસ્કૃતિની મોટાપાયે અસર જોવા મળી રહી છે. મોબાઈલને કારણે લોકો સંબંધો ભૂલી રહ્યાં છે. માનવતા નેવે મૂકીને નરાધમ બની રહ્યાં છે. ત્યારે ભદ્ર સમાજને લાંછન લગાવતી કલંકિત ઘટના બની છે. આ વાંચીને તમારું કાળજું કંપી ઉઠશે. કચ્છના અંજારમાં એક પુત્રએ તેની માતા પર પાશવી બળાત્કાર ગુજારવાની ઘટના બની છે.
માનવતા પણ લજવાઈ જાય. સંબંધો પણ શરમાઈ જાય તેવો આ કળિયુગ કપૂતનો આ કિસ્સો છે. કચ્છના અંજારના સતાપર ગામે આ ઘટના બની છે. જેમાં 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સામે આવતા જ સમગ્ર પંથકમાં દીકરા સામે રોષની લાગણી જોવા મળી છે. વૃદ્ધાની વહુએ પોતાના જેઠની સામે ફરિયાદ નોંધાવી છે. જેના બાદ અંજાર પોલીસે નરાધમ પુત્રની ધરપકડ કરી છે.
માર્ચ માટે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી, પહેલા અઠવાડિયામાં પરચો જોવા મળશે
પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારમાં 50 વર્ષીય અપરિણીત આધેડ કોઈ કામ ધંધો કરતો ન હતો. તે દારૂની લતે ચઢી ગયો હતો. રોજ દારૂ પીવાવાળા દીકરો 27 ફેબ્રુઆરીના રોજ રાતે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં દારૂ પીને આવ્યો હતો. તે માતાના રૂમમાં અંદર ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ બાદ તેણે વૃદ્ધ માતા પર બળાત્કાર ગુજાર્યો હતો.
માતાએ બૂમાબૂમ કરતા નાના પુત્રી પત્ની અને પાડોશીઓ મદદે આવી ગયા હતા. પરંતું તમામે દરવાજો તોડ્યો ત્યારે હચમચી જવાય તેવું દ્રષ્ય જોવા મળ્યું હતું. વૃદ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ નરાધમ પુત્ર પર લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે