Home> Gujarat
Advertisement
Prev
Next

‘મારું શરીર ધ્રુજી રહ્યું છે, અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી', અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો!

Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. પરંતુ અનેક દુખદ ઘટનાઓ વચ્ચે અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો હતો, જી હા...માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં ભૂમિ ચૌહાણનો આબાદ બચાવ થયો હતો.

‘મારું શરીર ધ્રુજી રહ્યું છે, અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી', અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો!

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. 

fallbacks

અમદાવાદ પહોંચ્યા PM મોદી; થોડીવારમાં દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત, ઈજાગ્રસ્ત સાથે કર

ભૂમિ ચૌહાણ ભારતમાં 1 વેકેશન મનાવ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171માં લંડન પરત ફરવાનાં ૨ હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત - ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફલાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. 

'તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા', મિત્રોને ક્યા ખબર હતી કે મિત્ર સાથે આ છેલ્લી

ફ્લાઇટ ચૂકી જતાં તેમણે બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો. પરંતુ આ પછી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા.  ત્યારે ક્રેશની વાત જાણી પોતાનો જીવ બચવાથી રાહત અનુભરી હતી. ભૂમિ ચૌહાણે કહ્યું કે, ‘મારું શરીર ધ્રુજી રહ્યું છે. અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી. 

અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાન વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-લંડનમાં પ્લેન ક્રેશથી 267ના મૃત્યુ થયા છે. આ મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More