Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીની અજીબ ઘટના : 8 વર્ષના બાળકના પાંપણમાં 28 જુ અને 35 ઈંડા સર્જરીથી દૂર કરાયા

Amreli News : અમરેલીના સાવરકુંડલામાં એક વિચિત્ર ઘટના જોવા મળી. આઠ વર્ષના બાળકની પાંપણ પર 28 જેટલી જુ જોવા મળતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. શું છે આખી ઘટના જોઈએ આ રિપોર્ટમાં

અમરેલીની અજીબ ઘટના : 8 વર્ષના બાળકના પાંપણમાં 28 જુ અને 35 ઈંડા સર્જરીથી દૂર કરાયા

Amreli News કેતન બગડા/અમરેલી : અમરેલીના સાવરકુંડલામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં 8 વર્ષના બાળકની પાપણ પર 28 જેટલી જૂ જોવા મળી. જૂના લીધે બાળકની આંખમાં અસહ્ય દુ:ખાવો અને ખંજવાળ થઈ રહી હતી. અસહ્ય દુ:ખાવો અને ખંજવાળની ફરિયાદ સાથે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં બાળકને લઈ જવાયો હતો. દોઢ કલાકના ઓપરેશન બાદ  28 જૂ અને 35 જૂના ઈંડા બહાર કઢાયા હતા. 

fallbacks

બાળકે આંખની પાંપણમાં દુખાવાની ફરિયાદ કરી 
સાવરકુંડલા શહેરની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં એક બાળકનો કેસ આવ્યો હતો. જેમાં આઠ વર્ષના બાળકે તેની આંખની પાપણમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ ડોકટરને કરી હતી. દર્દીની આંખ પણ લાલ થઈ ગઈ હતી. દર્દીએ અગાઉ બે ડોક્ટરને બતાવ્યું હતું. પરંતુ દર્દીના આંખમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ રહેતી હતી. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંખના સ્પેશલિસ્ટ ડોક્ટરને બતાવતા ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આંખના ડોક્ટર મૃગાંગ પટેલે નાની એવી સર્જરી કરવાની વાત પેશન્ટને કરી હતી. દર્દીએ સર્જરી માટે તૈયારી બતાવી હતી. 

આમ, દોઢ કલાક ચાલેલા ઓપરેશનમાં 28 જેટલી જીવતી જુ બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત પાતળી જેટલા ઈંડાનું ઝુંડ પણ આંખની પાંપણમાં જોવા મળ્યું હતું. ત્યારે ઓપરેશન કરીને 28 જેટલી જુને 35 જેટલા જુના ઈંડા ડોક્ટરે બહાર કાઢ્યા હતા. ઓપરેશન થઈ ગયા બાદ તુરંત જ આઠ વર્ષના બાળકને રાહત થઈ ગઈ હતી અને તરત જ રજા આપી દેવામાં આવી હતી.

ગાંધીનગરના કાવાદાવા : ગૃહ રાજ્યમંત્રીની ગેરહાજરીમાં IPS અધિકારીએ ખેલ પાડ્યો!

હોસ્પટલના ડોક્ટર મૃગાંગ પટેલ આ આખા ઓપરેશન બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, આઠ વર્ષના બાળકનું ઓપરેશન આધુનિક મશીનરી દ્વારા કરવામાં આવ્યું હતું અને બાળકના પાંપણમાંથી 28 જેટલી જૂને બહાર કાઢવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં જૂની હાજરી જોવા મળી હતી. અમે ઈન્જેક્શન વગર જ માત્ર આંખના ટીપા અને આધુનિક મશીનની મદદથી આ ઓપરેશન કર્યું હતું. 

તો લલ્લુભાઈ આરોગ્ય મંદિરના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડોકટર પ્રકારભાઈ કટરીયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો છે. તબીબોના જણાવ્યા પ્રમાણે આવો કેસ ભાગ્ય જોવા મળતો હોય છે. હાલ બાળક એકદમ સ્વસ્થ છે. આ અજીબ ઘટના જોઈને ડોક્ટરો પણ આચાર્યમાં મુકાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં લલ્લુભાઈ આરોગ્ય મંદિરમાં સંપૂર્ણ નિશુલ્ક દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અહીં છેલ્લા ત્રણ વર્ષથી આંખનું વિભાગ કાર્યરત છે અને બહોળી સંખ્યામાં દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે. 

દિલ તૂટ્યાની દર્દનાક પોસ્ટ મૂકીને સુરતની મોડલનો આપઘાત, ‘હું તારા માટે કંઈ નથી...’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More