ઝી બ્યુરો/ખેડા: વારંવાર વિવાદોમાં રહેવા ટેવાયેલ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે. જી હા... આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા નહીં રહી શકે તેવો ફરમાન જાહેર કરાયું છે. તા. 01 માર્ચથી આ નિર્ણયની અમલવારી થશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવસ દરમિયાનના તમામ ભોગો સમયે થતી આરતી માટે આ નવો નિર્ણય લાગુ પડશે. હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ન ઉભા રહેતા નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે.
સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..
22/11/24 ના રોજ મંગળા આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જે બાબતનો વિડીયો સામે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે બાજુમાં ઊભા રહેલા વારાદારી જો નીચે ખસી ગયા હોત તો આ ઘટના ન ઘટી હોય. આરતી ઉતારનાર વારાદારીએ જોડે ઊભા રહેલા વારાદારીને ખસવાનું કહ્યું પરંતુ જોડે ઊભા રહેલા વારાદારી ખસ્યા નહીં. જેને લઈ ડાકોર ટેમ્પલ કમિટીની 10/12/24 ની મિટીંગમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો 1 માર્ચ શનિવારથી અમલ કરાશે.
'તું તારા મિત્રો અને સગાની વાતોમાં આવી ગઈ અને મને છોડી દીધો', ઈમોશનલ નોટ લખીને યુવકે
જો ભગવાન સન્મુખ ઉભા રહી વારાદારી આરતી ઊતારે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં મુશ્કેલી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આવતીકાલની આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ પોલીસ બંદોબસ્ત માંગ્યો છે.
દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, બે દીકરીઓને બનાવી હવસનો શિકાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે