Ahmdabad News: અમદાવાદમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી આસામની યુવતીની આપઘાતની ઘટના સામે આવી છે. ઘાટલોડિયામાં વર્ધમાનનગર સોસાયટીમાં 4 મહિનાથી લીવઈનમાં રહેતી આસામની યુવતીએ મંગળવારે મોડી રાત્રે બીજા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.
પરિવારજનોને પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી યુવતી ડિપ્રેશનમાં રહેતી
આ યુવતી ઈન્ટિરિયર ડિઝાઈ નરનો અભ્યાસ કરતી હતી. શિવાલી કશ્યપ નામની આ યુવતી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી. છેલ્લા ચાર મહિનાથી તે સૌરભ નામના યુવક સાથે રિલેશનશીપમાં હતી. બન્ને લિવઇનમાં રહેતા હતા. પરિવારજનોને પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી યુવતી ડિપ્રેશનમાં રહેતી હતી.
પ્રેમી સાથે ઝઘડો થયા બાદ યુવતીએ આપઘાત કર્યો
પ્રેમી સાથે ઝઘડો થયા બાદ યુવતીએ આપઘાત કર્યો હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. આ અંગે ઘાટલોડિયા પીઆઇએ જણાવ્યું કે, યુવતીના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને હાલમાં યુવકની પૂછપરછ ચાલી રહી છે.
પહેલા માળની બાલ્કનીની દીવાલ સાથે શિવાલીનું માથું પછડાતા મોત
શિવાલીએ મંગળવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બીજા માળની બાલ્કનીમાંથી આપઘાત કરવા છલાંગ લગાવી હતી. જો કે, પહેલા માળની બાલ્કનીની દીવાલ સાથે શિવાલીનું માથું પછડાતા તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે ઘાટલોડિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.
પરિવારજનોની સંમતિ ન હોવાથી યુવતી ડિપ્રેશનમાં હતી
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે બન્ને લગ્ન કરવાના હતા પરંતુ પરિવારજનોની સંમતિ ન હોવાથી યુવતી ડિપ્રેશનમાં હતી. યુવતીએ મોતની છલાંગ લગાવી તે પહેલા યુવક સાથે તેની કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હતી. જે બાદ તેણે બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેમાં પહેલામાળની બાલ્કનીની છાજલી સાથે તેનું માથુ ભટકાયું હતું અને તેને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં તેનું મોત થયું.
પરિવારજનોએ પ્રેમલગ્ન માટે શિવાલીને ના પાડી દીધી હતી
શિવાલી સાથે સૌરભ પુરોહિત નામનો યુવક પણ અભ્યાસ કરતો હતો. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા છેલ્લા ૪ મહિનાથી ઘાટલોડિયાના વર્ધમાનનગર સોસાયટી ખાતે લીવઈનમાં રહેતા હતા. શિવાલીએ પ્રેમસંબંધ અંગે પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ પરિવારજનોએ પ્રેમલગ્ન માટે શિવાલીને ના પાડી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે