Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરકાશી નજીક એક દર્દનાક અકસ્માત; ગુજરાતી યાત્રીઓની બસ પલટી, 3 ગંભીર, 18 ઈજાગ્રસ્ત

KEDARNATH ACCIDENT: ઉત્તરાખંડના ટિહરીના ઘનસાલી રસ્તે એક બસ અકસ્માત થયો હતો. ચાર ધામ યાત્રા ઉપર નીકળેલા ગુજરાતના યાત્રીઓની બસ અચાનક સડક ઉપર પલટી મારી હતી. બસમાં 33 જેટલા યાત્રીઓ સવાર હતા અને તેમાંથી ચારને ઈજા પહોંચી હતી. યાત્રીઓ ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. 
 

ઉત્તરકાશી નજીક એક દર્દનાક અકસ્માત; ગુજરાતી યાત્રીઓની બસ પલટી, 3 ગંભીર, 18 ઈજાગ્રસ્ત

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને એસડીઆરએફ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં એક યાત્રી રાજકોટથી, બે અમદાવાદથી અને એક મૂળ રૂપે ઉદયપુરના હોવાનું સામે આવ્યું છે.

fallbacks

નબળી પડેલી સિસ્ટમ ફરી સક્રિય, આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, આ જિલ્લાઓમાં

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા. બસ અકસ્માતની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. બાદમાં તાકીદે બચાવ અને રાહત ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. રેસ્કયુ ટીમે ગંભીર રીતે ઘાયલ લોકોને તરત જ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં  મોકલ્યા હતા અને સામાન્ય ઈજા પહોંચેલા લોકોને સ્થળ ઉપર જ ઈલાજ અપાયો હતો.

'મને જેલમાં રાખશો તો હું ગુનેગાર બની જઈશ', જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનો નવો તુક્કો

બસ વળાંક લઈ રહી હતી અને આ સમયે બ્રેક ન લાગતા બનાવ બન્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. જેને વધુ ઈજા પહોંચી છે તેવા યાત્રીમાં કંકૂબેન નાયક (અમદાવાદ), સતીશ પંડયા (અમદાવાદ), ચંદ્રિકાબેન (રાજકોટ) હોવાનું અહેવાલોથી જાણવા મળ્યું હતું.

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી જવાની માહિતીથી ખળભળાટ મચી ગયો હતો. 

રાજા તો ફક્ત એક મહોરું અને કોઈ ત્રીજા સાથે ભાગવાના ચક્કરમાં હતી સોનમ રઘુવંશી? 

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 11 જૂનના રોજ એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ તરફ જઈ રહી હતી. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર ટિપરીથી લગભગ 1.5 કિલોમીટર આગળ પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન બસમાં લગભગ 35 યાત્રીઓ સવાર હતા, જેમાંથી લગભગ 18 લોકો ઘાયલ થયા હતા.

Jagannath Rath Yatra: સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાથ 15 દિવસ બીમાર શા માટે રહે છે ?

3 યાત્રી ગંભીર રીતે ઘાયલ
સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ અને એસડીઆરએફ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવ્યા હતા. બસમાં સવાર ત્રણ યાત્રીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More