Home> Gujarat
Advertisement
Prev
Next

ઓછા માર્ક્સ કે નાપાસ થયા હોય તો ચિંતા કરતા નહીં! ફરી લેવાશે પરીક્ષા, ધો.10 અને 12ની પૂરક પરીક્ષા ક્યારે લેવાશે?

GSEB HSC Result 2025: ધો.12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ તથા સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ આવ્યું છે. પરંતુ જો તમારે ઓછા માર્ક્સ કે નાપાસ થયા હોય તો ચિંતા કરતા નહીં. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી જુન માસમાં યોજાશે.

ઓછા માર્ક્સ કે નાપાસ થયા હોય તો ચિંતા કરતા નહીં! ફરી લેવાશે પરીક્ષા, ધો.10 અને 12ની પૂરક પરીક્ષા ક્યારે લેવાશે?

GSEB HSC Result 2025: ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. ત્યારે ઓછા માર્ક્સ કે નાપાસ થયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી જુન માસમાં યોજાશે. 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે વિધાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા પરીક્ષામાં નપાસ થયા હોય તેવા વિધાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે. બેસ્ટ ઓફ 2 પરીક્ષાનું આયોજન કરાયું છે.

fallbacks

ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે
ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે. તથા 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષા યોજાશે. તથા જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા તેઓ પરીક્ષા આપી શકશે. એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. તેમજ ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. 

માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 3,64,859, રીપીટર વિદ્યાર્થી - 22,652, આઇસોલેટેડ - 4,031, ખાનગી - 24,061, ખાનગી રીપીટર - 8,306 સાથે કુલ - 4,23,909 વિદ્યાર્થીઓ છે. તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813, રીપીટર વિદ્યાર્થી - 10,476, આઇસોલેટેડ - 95 સાથે કુલ - 1,11,384 વિદ્યાર્થીઓ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More