Pahalgam Attack Kandahar Hijack Connection: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સૌથી મોટો ખુલાસો થયો છે અને આ ઘટનામાં અલ ઉમર મુજાહિદીનના મુખિયા મુશ્તાક અહમદ ઝરગરની ભૂમિકા ઉજાગર થઈ છે. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ને મદદ કરી હતી. મુશ્તાક અહેમદ ઝરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો અને હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે. ધરપકડ કરાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછ દરમિયાન આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં રહી કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યો છે ઝરગર
મુશ્તાક અહમદ ઝરગરના આતંકી સંગઠન પર ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે અને 2023મા તેના ઘરને નેશનલ ઈન્વેસ્ટિગેશ એજન્સીએ સીલ કર્યું હતું. એનઆઈએ સૂત્રો પ્રમાણે ઝરગર હાલ પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાને કારણે ઓવર ગ્રાઉન્ડ વર્કરોના સમર્થકોમાં તેની પકડ છે. તેથી પહેલગામ હુમલામાં આ વ્યક્તિની ભૂમિકા મહત્વની માનવામાં આવી રહી છે.
ઘણા પ્રતિબંધિત સંગઠનો તપાસ એજન્સીઓના રડાર પર છે
પહેલગામ આતંકવાદી હુમલા પછી, કાશ્મીરના ઘણા પ્રતિબંધિત સંગઠનો તપાસ એજન્સીના રડાર પર છે, જેમના ઘણા લોકો હાલમાં કસ્ટડીમાં છે. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં 100 થી વધુ OGW ના છુપાયેલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 90 થી વધુ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. NIA સ્થાનિક ગુપ્તચર એજન્સીઓની મદદથી પહેલગામની આસપાસના કેટલાક શંકાસ્પદ સ્થળોથી ઇનપુટ્સ વિકસાવી રહી છે.
આ પણ વાંચોઃ જો યુદ્ધ થાય તો કયા દેશ ભારતના પડખે અને કોણ PAKને આપશે સાથ?
આતંકવાદીઓને લશ્કરી તાલીમ આપવામાં આવી હતી
આ સાથે, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી એજન્સીઓએ વધુ એક મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ આતંકવાદીઓને લશ્કરી તાલીમ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર જેલમાં બંધ લશ્કર કેડરની પૂછપરછના આધારે તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ આવી જ માહિતી સામે આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે તાલીમ પામેલા પાકિસ્તાની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ કમાન્ડો જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખીણમાં આવા 15-20 SSG કમાન્ડો તાલીમ પામેલા આતંકવાદી કમાન્ડરો હાજર છે. પાકિસ્તાની આતંકવાદીઓ સાથે, આવા ખતરનાક કમાન્ડરો કાશ્મીરમાં વિદેશી આતંકવાદીઓના નાના જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે.
ગુપ્તચર સુરક્ષા એજન્સી સૂત્રો પ્રમાણે તેની પાછળ આઈએસઆઈનો ઉરાદો સુરક્ષા એજન્સીઓને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો છે. ગગનગીર ગાંદરબળ હુમલો, જેમાં સાત લોકોના મોત થયા હતા. બૂટા પથરી હુમલો, જેમાં આર્મીના કોન્વોય પર હુમલો થયો હતો અને બે જવાન શહીદ થયા હતા, જ્યારે 2 પોર્ટર માર્યા ગયા હતા. પહેલગામ આતંકી હુમલો.. આ બધી ઘટનામાં પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ કમાન્ડો ગ્રુપની ભૂમિકા સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે