Ahmedabad News અમદાવાદ : સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે દર્શન કરીને પાછા વળતાં કારને અકસ્માત થતા દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તો બે લોકોનો આબાદ બચાવ થયો છે. કાર ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરતા ક્રેટા કાર ગટરમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ગાડી ગટરમાં ખાબકી હતી. જેમાં દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
મૃતકોના નામ
આ ઘટના જાણ વિરોચનનગરમાં થતા તાત્કાલિક 108 ને જાણ કરા ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક પરિવાર ગાંધીનગર વિસ્તારના રબારી સમાજના છે. જેમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને બે લોકોનો આબાદ બચાવ થયો હતો વધુ તપાસ માટે સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશને હાથ ધરી છે.
તો બીજી તરફ, રાજકોટ ધોરાજીના ક્રીસ્ટલ સ્કુલ નજીક ગઇકાલે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ક્રીસ્ટલ સ્કુલ નજીક સામસામે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર બન્યા નથી. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ચાણસ્મા દર્શન કરીને પરત આવતા યુવકનું અકસ્માતમાં મોત
મહેસાણા બાયપાસ વડોસણ રેલવે ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. ચાણસ્માથી દર્શન કરી અમદાવાદ પરત ફરી રહેલ 22 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. અમદાવાદનો 22 વર્ષીય વિવેક રાજેશકુમાર સોલંકી ચાણસ્મા દર્શનાર્થે ગયો હતો. દર્શન કરી પરત ફરતા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકે જીવ ગુમાવ્યો. મહેસાણા તાલુકા પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે