Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ધડાકો, શરીર પર મારની ઈજાના નિશાન મળ્યા

Rajkumar Jat Postmourtam Report : ગોંડલમાં રાજકુમાર જાટનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ખુલાસો થયો છે... યુવકના શરીર પર લાકડીથી મારનાં નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ... અકસ્માત નહીં, હત્યા થયાની શંકા

રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ધડાકો, શરીર પર મારની ઈજાના નિશાન મળ્યા

Gondal Rajkumar Jat Case : ગોંડલમાં રાજસ્થાનના જાટ યુવકના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ ઘટનાના છેક રાજસ્થાનમાં પડઘા પડ્યા છે. સમગ્ર મામલે મૃતક રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 

fallbacks

શું કહે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ 
પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે, રાજ કુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઇજા થાય તેવા નિશાન મળી આવ્યા છે. PM રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા નોંધાયો છે. તેની ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે. મુદ્દા નંબર 30 અને 31 માં ગુદામાં 7 સેન્ટી મીટર ઊંડો ચીરો છે. લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળી આવ્યા છે.  

જે 4 સેન્ટી મીટરના ઇજા નિશાન છે તે અકસ્માતથી ના થાય કેમ કે અકસ્માતમાં એક જ સરખા ઈજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી આવતી. જે ગુદાના ભાગમાં 7 સેન્ટી મીટર ઊંડો ચીરો છે તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી. ઈજાના જે નિશાન છે તે લગભગ 12 કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન છે. આ ઉપરાંત રાજકુમાર જાટના શરીર પર અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે.  

જોકે શું આ મુદ્દે પોલીસ યોગ્ય તપાસ કરશે? કે પછી CCTV ની જેમ અધૂરી અને ગૂંચવાયેલી તપાસ થશે.

રાજસ્થાનના નેતા ગાંધીનગર પહોંચ્યા
રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી રામલાલ જાટ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાથે મુલાકાત કરી હતી. તેમણે સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, સ્થાનિક પોલીસ પર ભરોસો નથી એમને સસ્પેન્ડ કરવામાં આવે. પોલીસ જાહેર કરેલ વિડિઓ પર પણ વિશ્વાસ નથી. જો પોલીસ ધારાસભ્યના પરિવારની તપાસ ના કરી શકે તો અમારા છોકરાની તપાસ કરે. સ્થાનિક પોલીસ mla નું નામ ફરિયાદમાંથી હટાવવા માટે પણ કહ્યું હતું. મુખ્યમંત્રી પર ભરોસો રાખી આજે મુલાકાત કરી છે. 

માર્ચમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, ભર ઉનાળે ભીંજાશે ગુજરાત, આ છે તારીખ

યુવક માટે રાજસ્થાનમાં આંદોલન
રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે સોશિયલ મીડિયામાં I SUPPORT GANESH GONDAL ના પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક તરફ રાજસ્થાનમાં રાજકુમાર જાટ મામલે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પાર્લામેન્ટમાં પણ સાંસદ બેનિવાલે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસથી સંતુષ્ટ ન હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી હતી. રાજકુમાર જાટનો પરિવાર સતત જયરાજસિંહના બંગલાના પુરા સીસીટીવી જાહેર કરવાની માંગ કરી રહ્યો છે. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવીના કેટલાક અંશો જ શેર કરવામાં આવ્યા છે. રતનલાલ જાટનો આક્ષેપ છે કે, જયરાજસિંહના બંગલામાં માર મરાયા બાદ તેમનો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો હતો. 

પોલીસે કહ્યું, અકસ્માતમાં મોત નિપજ્યું છે
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયુ હોવાનું જણાવ્યું. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. 150 થી વધુ CCTV કેમેરા પોલીસે તપાસ્યા હતા. જેમાં ડમ્પર ચાલકની તપાસમાં 2:33 વાગ્યે લાશ પડી હોવાની જોઈ હતી. મહાસાગરની ટ્રાવેલ્સની 3131 નંબરની બસ પસાર થઈ હતી. ડ્રાઇવરે માલીકને જાણ કરી નહોતી અને માત્ર ક્લીનરને જાણ કરી હતી. 12 થી વધુ મોટા અને 30 થી વધુ વાહનો પસાર થતા CCTVમાં દેખાયા હતા. 6 તારીખે રૂરલ પોલીસે મિસિંગ નોંધની જાણ કરવામાં આવી હતી જેનો શહેર પોલીસે જવાબ પણ આપ્યો હતો. મૃતક રાજકુમાર જાટના વકીલે ઇજાના નિશાન અંગેના આરોપ મુદ્દે પોલીસે કહ્યું, હાઈ વે પર અકસ્માત થાય તો વધુ ઇજાના નિશાન થઈ શકે. 

રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જો કે જયરાજસિંહના બંગલામાં માર મારવામાં આવ્યો હતો કે કેમ તે બાબતની સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ. 

દ્વારકાધીશ દ્વારકામાં નહીં, વડતાલમાં છે! સ્વામીનારાયણ પુસ્તકમાં શ્રીકૃષ્ણનું અપમાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More