Home> Sports
Advertisement
Prev
Next

બેટ સ્ટમ્પ્સ સાથે અથડાયું, બેલ્સ પડી...છતાં સુનીલ નારાયણને અમ્પાયરે કેમ ના આપ્યો આઉટ ?

KKR vs RCB : સુનીલ નારાયણના નોટ આઉટ આપવા પર કેટલાક લોકોનું કહેવું છે કે સુનીલ નારાયણ આઉટ હતો અને અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે નિયમો અનુસાર સુનીલ નારાયણ નોટ આઉટ હતો અને અમ્પાયરોએ સાચો નિર્ણય આપ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, શું છે આ ઘટના અને શું કહે છે નિયમો.
 

બેટ સ્ટમ્પ્સ સાથે અથડાયું, બેલ્સ પડી...છતાં સુનીલ નારાયણને અમ્પાયરે કેમ ના આપ્યો આઉટ ?

KKR vs RCB : IPL 2025ની પ્રથમ મેચમાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. કોલકાતાની ઇનિંગ્સ દરમિયાન ઓપનિંગ કરી રહેલા સુનીલ નારાયણનું બેટ સ્ટમ્પ પર વાગ્યું અને બેલ્સ પણ પડી ગયા, પરંતુ અમ્પાયર દ્વારા તેને હિટ વિકેટ આઉટ આપવામાં આવ્યો નહોતો. 

fallbacks

આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે સુનીલ નારાયણ આઉટ હતો અને અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે નિયમો અનુસાર સુનીલ નારાયણ નોટ આઉટ હતો અને અમ્પાયરે સાચો નિર્ણય લીધો હતો. 

IPL 2025 : KKRનો સ્કોર 200ને પાર ગયો હોત...પરંતુ 10મી ઓવરના છેલ્લા બોલે પલટાઈ બાજી

શું છે સમગ્ર ઘટના ?

RCBએ ટોસ જીતીને KKRને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોક ઓપનિંગ માટે આવ્યા હતા. હેઝલવુડે પહેલી જ ઓવરમાં ડી કોકને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી સુનીલ નારાયણ કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. 

આ દરમિયાન RCBનો બોલર રસિક સલામ ઇનિંગની સાતમી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં સુનીલ નારાયણનું બેટ સ્ટમ્પ સાથે અથડાયું અને બેલ્સ પડી ગયા. જો કે, ત્યાં સુધીમાં લેગ અમ્પાયરે બોલને તેની ઊંચાઈને કારણે વાઈડ જાહેર કરી દીધો હતો. એટલે કે, સુનીલ નારાયણ બોલ રમવાનો પ્રયાસ કર્યા બાદ બોલ વિકેટકીપર પાસે જતાં જ બોલ ડેડ થઈ ગયો હતો.

IPLમાં સુપર ઓવરના નિયમોમાં થયો ફેરફાર, જાણો હવે કેવી રીતે નક્કી થશે વિજેતા ?

શું છે નિયમ ?

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ 35.1.1 અનુસાર, જો કોઈ બેટ્સમેન શોટ મારવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો જ તેને 'હિટ વિકેટ' આપી શકાય છે. સુનીલ નારાયણનો અહીં આવું કરવાનો કોઈ ઈરાદો નહોતો. જો બોલ વાઈડ હોવા છતાં બેટ્સમેને બોલને સ્મેશ કરવાનો પ્રયાસ કર્યો હોત તો અમ્પાયરે આંગળી ઉંચી કરીને બેટ્સમેનને આઉટ આપ્યો હોત.

વાઈડ બોલ પર બેટ્સમેનને 'હિટ વિકેટ' આપી શકાય છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે બેટ્સમેન શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હોય અને તે સમયે તેનું બેટ સ્ટમ્પ સાથે અથડાતું હોય, પછી તે લીગલ ડિલિવરી હોય કે વાઈડ. જો બેટ્સમેન બોલ પસાર થયા પછી રમવાનો પ્રયાસ ના કરે તો તે આઉટ થશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More