Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓ સૌથી માટે ખુશખબર: ગુજરાત સરકારે શું કરી મહત્વની જાહેરાત?

રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કરાયો છે. આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ 1000 રૂપિયાનું તબીબી ભથ્થું  મળશે.

રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓ સૌથી માટે ખુશખબર: ગુજરાત સરકારે શું કરી મહત્વની જાહેરાત?

Gandhinagar News: રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓ માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા...રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કરાયો છે. આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ 1000 રૂપિયાનું તબીબી ભથ્થું  મળશે. રાજ્યના 4808 કર્મચારીઓને લાભ મળશે. તારીખ 01-04-2025થી ઠરાવ અમલી બનશે. 

fallbacks

ઋષિકેશ પટેલે X પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યની બિન-અનુદાનિત કોલેજોમાં કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યની બિન-સરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹700નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. 

આ વધારા સાથે આ કર્મચારીઓને હવે પ્રતિમાસ ₹1 હજારનું તબીબી ભથ્થું પ્રાપ્ત થશે. આ નિર્ણયથી રાજ્યભરના કુલ 4908 કર્મચારીઓને સીધો લાભ મળશે, જેઓ લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા. આ નિર્ણયનો અમલ તારીખ 1-04-2025થી શરૂ થશે, જેનો અર્થ એ છે કે, કર્મચારીઓને એપ્રિલ 2025થી વધેલા ભથ્થાનો લાભ મળવાનો શરૂ થશે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આ નિર્ણય એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે માનીએ છીએ કે, આ વધારો કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવામાં મદદ કરશે.” આ નિર્ણયથી રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, અને તેઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹. 300 લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ 01-04-2025 ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા 1000નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક 3703 અને બિનશૈક્ષણિક 1205 મળીને કુલ-4908 કર્મચારીઓને લાભ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More