Dahod Manrega Scam : દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની ફરી ધરપકડ કરવામાં આવી છે. જામીન મળ્યાના 2 દિવસ બાદ બળવંત ખાબડની ધરપકડ કરાઈ. ભાણપૂર ખાતેના કૌભાંડમાં બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે. 29 તારીખે જ કોર્ટે મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. જામીન પર છૂટ્યાના 2 દિવસમાં બંને પુત્રો ફરી કસ્ટડી છે. બે દિવસ પહેલા બીજા પુત્રની ધરપકડ કરાઈ હતી.
મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લેવાયા હતા. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે અટકાયત કરી છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી છે. જ્યારે બીજા પુત્રને જામીન મળતા તેને જેલમુક્ત કરાયો છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી.
ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે નહિ, મુંબઈ અટકી પડી સિસ્ટમ, પરેશ ગોસ્વામીની આગાહી
મનસુખ વસાવાએ સ્વીકાર્યું, કૌભાંડ થયું છે
ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની કબૂલાત કરી છે. તેમણે ભરી સભામાં કહ્યું કે આપણા સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય છે. બીજા કોઈ કૌભાંડ કરે તો કહેવા જઈએ પણ આપણા જ સરપંચો કૌભાંડ કરે તો કોને કહેવા જવાનું. ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ કબૂલ્યું કે મનરેગાનાં કામોમાં ગુણવત્તા વગરની કામગીરી થઈ છે. જે એજન્સીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની તપાસ થવી જોઈએ તેવી પણ તેમણે માગણી કરી છે. તો સાથે જ કોંગ્રેસીઓ પોતાનાં કામ કરવા માટે ભાજપમાં આવ્યા હોવાનો પણ કટાક્ષ કર્યો અને સાથે જ ભાજપ સમર્થિત સરપંચ પણ સરકારી કામોમાં કૌભાંડ કરતા હોવાનો સ્વીકાર કર્યો.
ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ
ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂપિયા 7.49 કરોડનું કૌભાંડ આચરાયા હોવાનું બહાર આવ્યું છે. મટિરિયલ્સ મુજબ અને માનવશ્રમના ઉપયોગ વિના યાંત્રિક, ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને ત્રણ તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના 3 તાલુકા આમોદ, જંબુસર અને હાંસોટમાં મનરેગાના કામોમાં વ્યાપક ગેરરીતિ અને કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું હતું. આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાકટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો.
બન્ને કૌભાંડી એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જોધા સભાડ દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કરાયો ન હતો. એટલે બેરોજગારોની રોજગારી છીનવી લેવાઈ હતી. સાથે તપાસમાં 3 તાલુકાના 67 ગામોના 430 કામોમાં આ બન્ને કોન્ટ્રાકટ એજન્સીઓએ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટ કર્મીઓ કે અન્ય આ કૌભાંડના ભાગીદારોના મેલાપીપણામાં લેબર મટિરિયલ્સનો રેશિયો જાળવો ન હતો. મેટલ અને ક્વોરી સ્પોઇલનો સમ ખાવા પૂરતો પણ વપરાશ કર્યો ન હતો. કામ કરતા વધુ મરીરીયલ્સનો વપરાશ બતાવી વધારાના લાખોના બિલો મુકી દીધા હતા. બન્ને એજન્સીઓના બિલો ઓનલાઇન જ પાસ કરી દેવામાં આવ્યા હતા. ઓફલાઇન બિલો પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. જે તમામ બાબતોને ધ્યાને લઇ આજે DDO ની સૂચનાથી મદદનીશ હિસાબી પ્રયોજના અધિકારી પ્રતીક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ મથકે રૂપિયા 7.49 કરોડની મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
હવે ભરૂચ મનરેગા કૌભાંડનો રેલો બે એજન્સીના સંચાલકો સુધી જ સીમિત રહે છે કે આગળ અધિકારીઓ, કર્મચારીઓ અને જન પ્રતિનિધિઓ સુધી પણ પોહચે છે, તે તો આગામી સમયમાં જ ખબર પડશે. હાલ તો બેરોજગારીની રોજી છીનવી, સરકારને આર્થિક નુક્શાન અને સરકાર સાથે જ કરોડો રૂપિયાના વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
ગુજરાતમાં આવીને કેજરીવાલનો ભાજપને ખુલ્લો પડકાર : ગોપાલ ઈટાલિયાને ખરીદીને બતાવો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે