Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની અનોખી મિસાલ બન્યું છે. હિન્દુ-મુસ્લિમની વસ્તી એકસરખી હોવા છતાં ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી. આઝાદી બાદ છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી પરંપરા ગઠામણ ગામમાં હજુ સુધી અકબંધ છે. જેથી ગામમાં હિન્દુ-મુસ્લિમ વારાફરતી સરપંચ બને છે. તેવી જ રીતે ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા જ ગામમાં સર્વાનુમતે સરપંચ અને ઉપસરપંચની વરણી કરીને ગ્રામપંચાયતને સમરસ બનાવાઈ છે.
આઝાદી પછી ક્યારેય નથી ચૂંટણી
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચૉટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું, જયાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામપંચાયત છે. પાલનપુરના ગઠામણ ગામમાં હિન્દુ-મુસ્લિમની વસતિ એકસરખી હોવા છતાં આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે ગ્રામજનો ભેગાં મળીને સંપીને એકને સરપંચ બનાવે છે.
ગામમાં હિન્દુ-મુસ્લિમ વસ્તી
પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંન સમુદાયના લોકો રહે છે. ગામમાં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે. બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે. ત્યારે ગઠામણ ગ્રામપંચાયતની ટર્મ પુરી થતા આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી થાય તે પહેલાં જ ગામલોકોએ વર્ષોથી પોતાના ગામમાં ચાલી આવતી સમરસ ગ્રામપંચાયતની પ્રણાલીકાને જાળવી રાખી છે અને ગ્રામપંચાયતને સમરસ બનાવીને મુસ્લિમ મહિલાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની સર્વાનુમતે વરણી કરી છે.
હવે આ તારીખે ગુજરાતમાં એન્ટ્રી કરશે ચોમાસું, નવી આગાહીથી ખુશખુશ થઈ જશો
75 વર્ષથી પરંપરા ચાલે છે
આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. દર વખતે જયારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના પાંચ-પાંચ આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે. જેથી આ ગામમાં અત્યાર સુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્રને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે.
ગઠામણ ગામના આગેવાન લક્ષ્મણજી ઠાકોર કહે છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ-દુઃખમાં સાથે રહે છે. ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે.
તો ગામના આગેવાન ઈમરાનભાઈ ઢુંકડાએ કહ્યું કે, અમારા ગામમાં કદી ચૂંટણી થતી જ નથી ગ્રામપંચાયત સમરસ થાય છે જેથી ગામનો વિકાસ થાય છે. ગામમાં કોઈ વિખવાદ થતો નથી સર્વાનુમતે સરપંચ અને ઉપસરપંચની વરણી કરાય છે)
સ્થાનિક ગ્રામજન મહેબૂબભાઈ સેલિયાનું કહેવું છે કે, દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી અમારા ગામમાં ચૂંટણી થઈ જ નથી અને અમે આ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરીશું.
કોંગ્રેસ સામે ભડાસ કાઢ્યા બાદ મેવાણીના સૂર બદલાયા, પક્ષ જેને જાહેર કરે એ મારો મિત્ર!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે