Home> LifeStyle
Advertisement
Prev
Next

રાત્રે વારંવાર ખુલી જાય છે આંખ, તો સૂતા પહેલા કરો આ 5 કામ, સીધા સવારે ઉઠશો

આજના વ્યસ્ત જીવનમાં, ખરાબ ખાવાની આદતો અને તણાવને કારણે લોકોની ઊંઘ પર અસર પડી રહી છે. જો તમે પણ રાત્રે વારંવાર જાગવાની સમસ્યાથી પરેશાન છો, તો તમે સૂતા પહેલા કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો. આ ઉપાયોથી, તમને સારી ઊંઘ આવશે અને તમે સવારે વહેલા ઉઠી શકશો.
 

 રાત્રે વારંવાર ખુલી જાય છે આંખ, તો સૂતા પહેલા કરો આ 5 કામ, સીધા સવારે ઉઠશો

Sleep problems: દિવસભરની વ્યસ્તતા વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન સારી રીતે રાખી શકતા નથી. કલાકો સુધી ઓફિસમાં બેસી કામ કરવું, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, વર્કઆઉટમાં કમી અને ખરાબ ખાનપાનને કારણે લોકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસભરના કામ બાદ જ્યારે રાત્રે લોકો ઘર પર આવે છે તો ફોન પર સમય પસાર કરે છે. તો ઘણા લોકો કામના ભારણથી તણાવનો શિકાર થઈ જાય છે. આ કારણે તેની ઊંઘ પ્રભાવિત થાય છે.

fallbacks

ડોક્ટર પણ સાતથી આઠ કલાક આરામ કરવાની સલાહ આપે છે. જ્યારે ઊંઘ પૂરી ન થાય તો દિવસભર થાકનો અનુભવ થાય છે. કામમાં મન લાગતું નથી અને વારંવાર ગુસ્સો આવવા લાગે છે. જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેને અજમાવી તમે સારી રીતે આરામ કરી શકો છો. આવો તે વિશે જાણીએ.

ફોન, લેપટોપનો ઉપયોગ ન કરો
જો તમે રાત્રે શાંતિથી સૂવા માંગતા હો, તો રાત્રે 9 વાગ્યા પછી તમારા ફોન કે લેપટોપનો ઉપયોગ બંધ કરો. આ ઉપકરણોમાંથી નીકળતો વાદળી પ્રકાશ મગજને આરામ કરતા અટકાવે છે. તે મેલાટોનિન નામના હોર્મોનનું ઉત્પાદન અટકાવે છે. આ તમારી ઊંઘ પર ખરાબ અસર કરે છે.

હર્બલ ટી પીવો
ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવા માટે, તમે સૂતા પહેલા હર્બલ ચા પી શકો છો. તે તમારા મનને શાંત કરે છે. વાસ્તવમાં, હર્બલ ચામાં રહેલા એન્ટીઑકિસડન્ટો તમને આરામનો અનુભવ કરાવે છે. આ તમને સારી ઊંઘ પણ અપાવે છે.

આ પણ વાંચોઃ Motivational Thoughts: મનમાં હંમેશા ચાલે છે ગંદા અને ખરાબ વિચાર, તો આ રીતે કરો દૂર

ગરમ અને હળદરવાળું દૂધ
જો તમે આખી રાત છત તરફ જોતા રહો છો, તો આ પદ્ધતિ એક વાર અજમાવી જુઓ. રાત્રે સૂતા પહેલા, દૂધ ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો. આ પછી, તેને હૂંફાળું પીવો. ધ્યાનમાં રાખો કે દૂધ પીધા પછી, થોડું ચાલવા જાઓ. નહીં તો તમને પાચન સમસ્યાઓ થઈ શકે છે. આ તમને સારી ઊંઘ પણ અપાવશે.

હળવું ભોજન કરો
રાતના સમયે ભારે ભોજન કરવાથી બચવું જોઈએ. ડોક્ટર પણ રાત્રે હળવું અને સરળતાથી પચી જાય તેવું ભોજન કરવાની સલાહ આપે છે. સૂવાના બે કલાક પહેલા હળવું ડિનર કરો, તેનાથી તમને સારી ઊંઘ આવશે.

મેડિટેશન પણ સારો વિકલ્પ
જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે તો તમારે રાત્રે બેડ પર જતાં પહેલા બ્રીધિંગ એક્સરસાઇઝ જરૂર કરવી જોઈએ. મેડિટેશનથી તમારૂ મન શાંત થશે. સાથે તણાવથી પણ બચી શકશો.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More