Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકુમાર જાટના કેસમાં નવો વળાંક, પૂર્વ ધારાસભ્યના બંગલામાં કંઈક એવું બન્યું હતું કે પોલીસે ગુપચુપ નોંધી ફરિયાદ

Rajkumar Jat Murder Case : ગોંડલ રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પિતાએ ઓડિયો કર્યો જાહેર... મારા અને મારા પુત્ર સાથે મારપીટ થઈ છે, હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છેઃ રતનલાલ જાટ 

રાજકુમાર જાટના કેસમાં નવો વળાંક, પૂર્વ ધારાસભ્યના બંગલામાં કંઈક એવું બન્યું હતું કે પોલીસે ગુપચુપ નોંધી ફરિયાદ

Gondal News : ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ| રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપત્તા બની ગયા બાદ તેની રાજકોટ નજીકથી લાશ મળી હતી. ત્યારે આ મામલે નવો વળાંક આવ્યો છે. ગોંડલ પોલીસે ગૂપચુપ રીતે પૂર્વ ધારાસભ્ય જયજરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે કેસ નોંધ્યો છે. સામા પક્ષે ગણેશ જાડેજાએ બંગલામાં ગેરકાયદે પ્રવેશ અંગે મૃતક રાજકુમાર અને તેના પિતા સામે પોલીસને અરજી આપી છે. 

fallbacks

મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પહેલાથી જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કરી રહ્યાં છે. આ કેસમાં તપાસનો રેલો છેક રાજસ્થાન સુધી પહોંચ્યો છે, તો લોકસભામાં તેના પડઘા પડ્યા છે. આખા કેસમાં ગોંડલ પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. ભારે વિવાદ સર્જનાર આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે હેરાનગતીનો કેસ કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને ફરિયાદ બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીંકી દીધો હતો. રતનલાલ જાટ આ શખ્સને ઓળખતા નથી તેવું જણાવ્યું.

ગુજરાતનો સુપર ચાઈલ્ડ, 4 માસના બાળકે આઈન્સ્ટાઈન જેવા દિમાગથી મેળવ્યાં 2 નેશનલ એવોર્ડ

તો બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલોમાં ગેરકાયદે પ્રવેશની પોલીસને અરજી આપી છે. ત્યારે હવે આ સમગ્ર કેસ નવો વળાંક લઈ રહ્યો છે. આ વચ્ચે યુવકના પિતા રતનલાલ જાટે એક ઓડિયો જાહેર કર્યો છે, જે પણ ચર્ચામાં આવ્યો છે. 
 

પિતા રતનલાલ જાટે જાહેર કર્યો ઓડિયો 
તમામ દેશવાસીઓને મારા પ્રણામ... હું રતનલાલ જાટ રાજકુમાર પંડિતા... શરૂઆતથી જ જે કહી રહ્યો છું. કે મારા જોડે અને મારા પુત્ર સાથે મારપીટ જે જગ્યાએ થઈ છે જે ભુતપૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મારપીટ થઈ છે. તેમને અડધા-અધુરા સીસીટીવીમાં મોકલ્યા છે. ત્યાર પછી અમારો પીછો કરીને રાત્રે પુત્રને ગન પોઈન્ટ પર ઉઠાવીને તમામ સીસીટીવી જ્યાં પણ છે. ત્યાં ગન પોઈન્ટ પર ચલાવ્યા છે. તો આ વાત તમામને દેખાઈ રહી છે. હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છે. તેમાં પણ બતાવ્યું છે કે મારા પુત્રના શરીર પર લાકડીથી માર માર્યો છે. તેના શરીર પર 7 સેન્ટિમીટરનો ચીરો પણ છે. ગુદા માર પણ જોવા મળે છે. તેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે એટલો માર માર્યો છે કે મારીને રોડ પર નાંખ્યો છે. તો આ ચીજ સ્પષ્ટ થઈ ગઈ છે. તે આ વાત બતાવવા માગું છું. 

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે મોટી દુર્ઘટના, 2 પિલર વચ્ચે ક્રેઈન તૂટી

યુવકને માર મરાયો છે, શરીર પર ઈજાના નિશાન - પોસ્ટમોર્ટમ રિપોર્ટ 
પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે, રાજ કુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઇજા થાય તેવા નિશાન મળી આવ્યા છે. PM રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા નોંધાયો છે. તેની ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે. મુદ્દા નંબર 30 અને 31 માં ગુદામાં 7 સેન્ટી મીટર ઊંડો ચીરો છે. લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળી આવ્યા છે. જે 4 સેન્ટી મીટરના ઇજા નિશાન છે તે અકસ્માતથી ના થાય કેમ કે અકસ્માતમાં એક જ સરખા ઈજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી આવતી. જે ગુદાના ભાગમાં 7 સેન્ટી મીટર ઊંડો ચીરો છે તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી. ઈજાના જે નિશાન છે તે લગભગ 12 કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન છે. આ ઉપરાંત રાજકુમાર જાટના શરીર પર અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે.  

પોલીસે કહ્યું, અકસ્માતમાં મોત નિપજ્યું છે
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયુ હોવાનું જણાવ્યું. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. 150 થી વધુ CCTV કેમેરા પોલીસે તપાસ્યા હતા. જેમાં ડમ્પર ચાલકની તપાસમાં 2:33 વાગ્યે લાશ પડી હોવાની જોઈ હતી. મહાસાગરની ટ્રાવેલ્સની 3131 નંબરની બસ પસાર થઈ હતી. ડ્રાઇવરે માલીકને જાણ કરી નહોતી અને માત્ર ક્લીનરને જાણ કરી હતી. 12 થી વધુ મોટા અને 30 થી વધુ વાહનો પસાર થતા CCTVમાં દેખાયા હતા. 6 તારીખે રૂરલ પોલીસે મિસિંગ નોંધની જાણ કરવામાં આવી હતી જેનો શહેર પોલીસે જવાબ પણ આપ્યો હતો. મૃતક રાજકુમાર જાટના વકીલે ઇજાના નિશાન અંગેના આરોપ મુદ્દે પોલીસે કહ્યું, હાઈ વે પર અકસ્માત થાય તો વધુ ઇજાના નિશાન થઈ શકે. 

રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જો કે જયરાજસિંહના બંગલામાં માર મારવામાં આવ્યો હતો કે કેમ તે બાબતની સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ.

હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ, દલાલોએ બાંગ્લાદેશી સગીરાને અમદાવાદમાં વેચી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More