Eye Care Tips: ઉંમર વધવાની સાથે-સાથે આંખો નબળી પડી શકે છે, પરંતુ ઘણીવાર નાની ઉંમરમાં આંખનું વિઝન ઘટી જાય છે. તેનું કારણ શરીરમાં વિટામિન્સની કમી અને ખરાબ લાઇફસ્ટાઇલ હોઈ શકે છે. વધુ સમય સુધી મોબાઇલ, ટીવી, લેપટોપ જેવા ગેઝેટ પણ આપણી આંખની રોશની પર અસર કરે છે. તો ફાસ્ટફુડ, સેચુરેટેડ ફેટ, ડબ્બામાં બંધ વસ્તુ તમારી આંખની રોશની નબળી પાડે છે. જો તમે પણ વર્ષોથી આંખ પર ચશ્મા લગાવી રહ્યાં છો અને ચશ્મા હટાવવા માટે આંખની વિઝન ઠીક કરવા ઈચ્છો છો તો ડાયટમાં આ જરૂરી વસ્તુ સામેલ કરી શકો છો.
પાંદડાવાળા શાકભાજી
આંખોને સ્વસ્થ રાખવા માટે પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. લીલા શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના સંયોજનો જોવા મળે છે, જે આંખની દ્રષ્ટિ સુધારે છે. આ સાથે શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે.
માછલી
માછલી આંખના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે આંખોને સુધારવામાં મદદરૂપ છે. તમારા આહારમાં ટુના, સૅલ્મોન, ટ્રાઉટ, મેકરેલ, સારડીન અને હિલ્સા જેવી માછલીઓનો સમાવેશ કરો.
આ પણ વાંચોઃ ઉનાળામાં આ 4 ફળો ભૂલથી પણ ખાવાની ન કરતા ભૂલ! નહીંતર પડી શકે લેવાના દેવા!
ખાટા ફળો
વિટામિન સીથી ભરપૂર ખોરાક આંખોની રોશની સુધારવા માટે ફાયદાકારક છે. વિટામિન સી એક પ્રકારનું શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. આંખોને સ્વસ્થ રાખવા અને દ્રષ્ટિ સુધારવા માટે તમારા આહારમાં લીંબુ, નારંગી, મૌસલી, આમળા જેવા ખાટાં ફળોનો સમાવેશ કરવો ફાયદાકારક છે. તેનાથી આંખના રોગોનું જોખમ પણ ઓછું થાય છે.
ગાજર
ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
અખરોટ અને ફ્લેક્સસીડ
અખરોટ કુદરતી ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે આંખો માટે આરોગ્યપ્રદ છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે