Home> Gujarat
Advertisement
Prev
Next

તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા

Ahmedabad Plane Crash : પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો... મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ, એર હોસ્ટેસનો હોવાની આશંકા... સિવિલમાં DNA મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ

તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશમાં હજી પણ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આજે દુર્ઘટનાના ત્રીજા દિવસે વિમાનની ટેલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જે સંભવતા એરહોસ્ટેસનો મૃતદેહ હોવાનું કહેવાઈ રહ્યું છે. 

fallbacks

પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળેથી મૃતદેહ મળવાનો સિલસિલો ચાલુ જ છે. ડોક્ટર મેસ બિલ્ડિંગમાં ફસાયેલા પ્લૅન ભાગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહ સિવિલ લઇ જવામાં આવ્યો છે. 
 
તો બીજી તરફ, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે FSL ની એક બેઠક કરી હતી. જેના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, FSL ની ટીમ 24 કલાક કામ કરી રહી છે. FSL પરિજનોના DNA મેચિંગની કામગીરી કરી રહી છે. ગુજરાતના 36 ફોરેન્સિક એક્સપર્ટ હાલ કામ કરી રહ્યાં છે. ભારત સરકારના પણ FSL ના એક્સપર્ટ કામ કરી રહ્યા છે.

આજે સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, તેમજ જગદીશ વિશ્વકર્મા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગના સચિવ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે આરોગ્ય મંત્રીએ બેઠક યોજાઈ હતી. જેમાં DNA પરીક્ષણ મુદે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. પરિવારજનોને ઝડપી મૃતદેહ મળે તે મુદે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. 

250 એમ્બ્યુલન્સ તાત્કાલિક બોલાવાઈ
ડેડબોડીની ઓળખ બાદ ઘણા પરિવારોને તેમના સ્વજનનો મૃતદેહ મળશે. મૃતદેહોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં 200-250 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. 108 એમ્બયુલેન્સ સિવાય મોટાભાગના જિલ્લાઓમાંથી એમ્બ્યુલેન્સ બોલાવવામાં આવી. ટ્રસ્ટ અને ખાનગી એમ્બ્યુલેન્સની પણ મદદ લેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More