અમદાવાદમાં કોંગ્રેસનું 84મું અધિવેશન ચાલી રહ્યું છે. આ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજા દિવસે કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે 140 વર્ષમાં 86 સંમેલનો યોજાયા છે. જેમાંથી 6 ગુજરાતમાં થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ત્રણ સત્રો પણ યોજાઈ ચૂક્યા છે. આ દરમિયાન ખડગેએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ખડગેએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી શાસક પક્ષ બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યો છે. આને રોકવું જરૂરી છે. તાજેતરમાં બજેટ સત્રમાં સરકારે મનમાની કરી હતી. રાહુલ ગાંધીને બોલવા દેવાયા નથી.
पूरी दुनिया के विकसित देश EVM को छोड़कर बैलेट पेपर की तरफ चले गए हैं।
दुनिया में तमाम देश EVM का इस्तेमाल नहीं कर रहे हैं, लेकिन हम EVM पर निर्भर हैं।
ये सब फ्रॉड है।
सरकार ने ऐसे तरीके ईजाद कर लिए हैं, जिससे सिर्फ उन्हें ही फायदा मिल रहा है, लेकिन आने वाले समय में देश के… pic.twitter.com/wwlfib0w0o
— Congress (@INCIndia) April 9, 2025
ખડગેએ વધુમાં કહ્યું કે છેલ્લા 11 વર્ષથી વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેમણે ઈવીએમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વભરના વિકસિત દેશો ઈવીએમનો ત્યાગ કરી રહ્યા છે અને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવે છે, પરંતુ આપણે હજી પણ ઈવીએમ પર નિર્ભર છીએ. આ બધું છેતરપિંડી છે. સરકારે એવી પદ્ધતિઓ ઘડી છે જેનો ફાયદો માત્ર તેમને જ થઈ રહ્યો છે. આવનારા સમયમાં દેશના યુવાનો ઉભા થઈને ઈવીએમનો વિરોધ કરશે. તેઓ કહેશે કે તેમને ઈવીએમ જોઈતા નથી.
સરકાર પાસે મહત્વના મુદ્દાઓ માટે સમય નથી
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે સંસદમાં મોડી રાતથી સવારના 5 વાગ્યા સુધી ચર્ચા ચાલી પરંતુ સરકાર પાસે મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે સમય નથી. આ બતાવે છે કે આ લોકો લોકતંત્રને કેટલી ગંભીરતાથી લે છે. અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લગાવી હતી પરંતુ ગૃહમાં તેની ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે જો આમ જ ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે સરકાર પોતાની સંપત્તિ વેચીને જતી રહેશે. કોંગ્રેસને ગાળો આપવા સિવાય તેઓ કોઈ કામ કરતા નથી. ચૂંટણી સંસ્થાઓ તેમની આધીન છે. ચૂંટણીમાં કૌભાંડો થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે