Home> Gujarat
Advertisement
Prev
Next

'તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા', મિત્રોને ક્યા ખબર હતી કે મિત્ર સાથે આ છેલ્લી મુલાકાત હશે!

Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા.  આ દુર્ઘટનામા વિસનગર તળ કડવા પાટીદાર સમાજના બે પુરુષ અને ત્રણ મહિલાનુ મૃત્યુ થતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. એરપોર્ટ ઉપર વિદાય આપી પરિવારના સભ્યો અને મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પ્લેન ક્રેશ થયાની જાણ થઈ હતી.

'તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગા', મિત્રોને ક્યા ખબર હતી કે મિત્ર સાથે આ છેલ્લી મુલાકાત હશે!

Ahmedabad Air India plane Crash:  અમદાવાદમાં લંડન માટે ટેકઓફ કરનાર પ્લેન ગણતરીની મિનિટોમા ક્રેશ થતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. અમદાવાદથી લંડન માટે ટેકઓફ થયેલી એર ઈન્ડીયાનુ પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થતા બનાવથી વિસનગર તળ કડવા પાટીદાર સમાજમા ભારે માતમ છવાયો છે. 

fallbacks

સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે PM મોદી; દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત

પ્રથમ વખત વિદેશયાત્રાએ જતા હોવાથી મિત્રોએ દિનેશકુમાર પટેલને પીંડારીયા ખેતરમાં પાર્ટી આપી હતી. જેમાં નામ હિન્દી ફિલ્મનું તું કલ ચલા જાયેગા તો મે ક્યા કરૂંગાનું ગીત પણ વગાડયુ હતું. ત્યારે મિત્રોને ક્યા ખબર હતી કે વિદેશ જતા મિત્ર સાથેની આ છેલ્લી મુલાકાત હશે. જેમને અમદાવાદ એરપોર્ટ મુકવા માટે મિત્રો પણ સાથે ગયા હતા. વિસનગર ગંજી વિસ્તારના અંકીતાબેન પટેલ લંડનમાં રહેતા તેમના પતિ વસંતકુમાર મહેન્દ્રભાઈ પટેલને મળવા માટે ગયા હતા. 

કરિશ્મા કપૂરના EX પતિ સંજય કપૂરનું નિધન, અમદાવાદ પ્લેન ક્રેશ પર હતી લાસ્ટ પોસ્ટ

પ્લેનમા ફતેહ દરવાજા પોયડાના માઢના દિનેશકુમાર કાન્તીલાલ પટેલ અને તેમના પત્ની ક્રિષ્ણાબેન દિનેશકુમાર પટેલ, ફતેહ દરવાજા પાછલી શેરીમાં રહેતા દશરથભાઈ જોઈતારામ પટેલ અને તેમના પત્ની ડાહીબેન દશરથભાઈ પટેલ તથા ગંજી વિસ્તારના અંકીતાબેન વસંતકુમાર પટેલ લંડન જવા રવાના થયા બાદ પ્લેન ક્રેશ થતા જીવ ગુમાવ્યો હતો. દિનેશકુમાર કાન્તીલાલ પટેલે આખી જીંદગી ખેતી કરી હતી. જેમનો પુત્ર લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા.

આ યુવતીના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ત્યારબાદ લંડનના વિઝા મળતા પતિને મળવા જવા માટે ઉત્સુક હતા. તેણીને ગંજીના નાકે આવેલી ઉંચી ફળીના માઢ આગળથી તેમના સ્નેહીજનોએ હોંસે હોંસે વિદાય આપી હતી. પરંતુ સ્નેહિજનોને ક્યા ખબર હતી કે દિકરીને આપેલી વિદાય છેલ્લી હશે. પ્લેન ક્રેશની દુર્ઘટનાથી તળ કડવા પાટીદાર સમાજમા અત્યારે ભારે માતમ છવાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More