Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: ગીરથી લઈને સોમનાથ મહાદેવનાં દર્શન, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

PM Modi on 3-day Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે. આજે જામનગર તો આવતી કાલે સાસણ ગીરની લેશે મુલાકાત. સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે પીએમ મોદી.

PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: ગીરથી લઈને સોમનાથ મહાદેવનાં દર્શન, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

PM Modi on 3-day Gujarat visit from 1 March: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી એકવાર ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી આજે જામનગર તો આવતી કાલે સાસણ ગીરની મુલાકાત લેશે. એટલું જ નહીં, પીએમ મોદી સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જશે. વડાપ્રધાનની જામનગર પ્રવાસના પગલે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. 

fallbacks

ડાકોર ટેમ્પલ કમિટીનો વધુ એક મોટો નિર્ણય; પ્રથમ વખત ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે એટલે કે તારીખ 1 માર્ચ અને 2 માર્ચના રોજ વડાપ્રધાન જામનગરની મુલાકાતે છે ત્યારે PM હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાશે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જામનગરના પ્રવાસને લઈને તૈયારીઓ પૂર જોશમાં છે. જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે આજે PM રાત્રી રોકાણ કરવાના હોય જેથી વહીવટી અને પોલીસ પ્રસાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..

જામનગર શહેરમાં રાજાશાહી સમયના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણના પગલે સર્કિટ હાઉસના પ્રથમ માળે આવેલ રંગમતી કક્ષમાં વડાપ્રધાન રાતવાસો કરશે. કક્ષને રંગરોગાન અને અન્ય ખૂટતી સામગ્રીઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. 

'તું તારા મિત્રો અને સગાની વાતોમાં આવી ગઈ અને મને છોડી દીધો', ઈમોશનલ નોટ લખીને યુવકે

PMના તારીખ 1 અને 2 માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે ત્યારે તેમના કોનવે રૂટ પર નો ફ્લાય ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનના કોનવે રૂટ પર દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો માટે પણ તૈયારીઓ બંને તરફ લાકડાની આડસ ઉભી કરવામાં આવી રહી છે. જયારે રિલાયન્સના વનતારા અને જામ સાહેબની મુલાકાત કરે એવી પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More