Sabarkantha News : ઈડર શાહી પરિવારની રાજગાદીના વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીના નામની જાહેરાત શાહી પરિવાર તરફથી કરવામાં આવી છે. ઈડર શાહી પરિવારના મહારાજા રાજેન્દ્રસિંહજીએ રાજકુમારીને વારસદાર જાહેર કર્યા છે.
મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્ણય કર્યો. રાજકુમારી વિવેકાકુમારીજી પ્રતાપ પેલેસ સહિતના ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે. રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટના વારસા અને સામાજિક જવાબદારીઓ નિભાવશે.
રાજકુમારી હાલ મુંબઈના અલ્ટામાઉન્ટ સ્થિત વિજયાભવનમાં સ્થાયી છે. વિવેકાકુમારી ગોંડલના રાજકુમારી અને ઈડર શાહી પરિવારના મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન છે. રાજકુમારી વિવેકાકુમારીએ યુકેની એસ્ટર યુનિવર્સિટીમાંથી વાણિજ્ય એમએસસીનો અભ્યાસ કર્યો છે. શાહી વારસાના ઉત્તરાધિકારી તરીકે દિકરીની નિમણૂંક પર રાજકુમારીએ સન્માનિત ભાવ વ્યક્ત કર્યો.
ઈડરના નવા રાજકુંવરી વિવેકાકુમારી વિશે ખાસ માહિતી
ઇડરના ભૂતપૂર્વ રાજવી પરિવાર દ્વારા એક ઐતિહાસિક, અનોખો અને સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત કુમારી વિવેકાકુમારીને ઇડર સ્ટેટની રાજગાદી સોંપવામાં આવી છે. કુમારી વિવેકા કુમારીની વાત કરીએ તો મહારાજ કુમારી વિવેકાકુમારી ઇડરના મહારાજા રાજેન્દ્રસિંહજી અને ગોંડલની રાજકુમારી મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન છે. તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાંથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને યૂનાઇટેડ કિંગડમની એક્સેટર યૂનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં એમએસસી કર્યું છે. તેણી કલા પ્રત્યે ઉત્સાહી છે, અને થોડા સમય માટે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી પોટ્રેટનો અભ્યાસ કર્યો છે.
પરેશ ગોસ્વામીની આગાહી : અરબ સાગરમાં હલચલ થઈ, નવી સિસ્ટમ આખા ગુજરાતમાં લાવશે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે