પ્રશાંત ધિવરે, સુરતઃ સુરતની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબો સામે દર્દીના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યાં છે. હોસ્પિટલે એવી બેદરકારી દાખવી કે નવજાત જન્મેલા શિશુને મૃત જાહેર કરી દીધું હતું. એટલું જ નહીં ડોક્ટરો પોતાની ભાન ભૂલી ગયા હોય તે બાળક પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે પણ આપી દીધું હતું.
હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી
સુરતની સરકારી હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે. પરંતુ આ વખતે તો ડોક્ટરોએ જે ભૂલ કરી તેની સામે સવાલો ઉઠી રહ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર સુરતમાં એક જીવિત નવજાત બાળકને તબીબોએ મૃત જાહેર કરી દીધું હતું. ડોક્ટરોએ આ શિશુના અંતિમ સંસ્કાર થાય તે માટે પરિવારજનોને સોંપી દીધું હતું. પરિવારજનોએ પણ ડોક્ટરની વાત માની લીધી હતી.
સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી આવી વિવાદમાં! જીવિત નવજાતને તબીબોએ મૃત જાહેર કર્યાનો આરોપ#Surat #Gujarat #News pic.twitter.com/16qlbBGGk3
— Zee 24 Kalak (@Zee24Kalak) May 15, 2025
પરિવારજનો બાળકને લઈને જઈ રહ્યાં હતા તો નવજાત અચાનક શ્વાસ લેવા લાગ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તાત્કાલીક બાળકને સાવરા માટે હોસ્પિટલના આઈસીયુમાં લઈને દોડ્યા હતા. હવે આ નવજાતની સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે