Gandhinagar News : બે દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, તે પહેલા ગુજરાતના બે બોર્ડર પર મોટી હલચલ થઈ છે. 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા બનાસકાંઠા બોર્ડર પર ઘૂસણખોરી કરતો પાકિસ્તાની ઠાર મરાયો છે. તો બીજી તરફ, કચ્છથી જાસૂસ પકડાયો છે.
ગુજરાતમાં સુરક્ષા એજન્સીની મોટી કાર્યવાહી
ગુજરાતમાં સરહદી સુરક્ષા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસે કચ્છ બોર્ડર પરથી જાસૂસની ધરપકડ કરી છે. જાસૂસ પર પાકિસ્તાનને માહિતી પુરી પાડવાનો આરોપ છે. તો આ જાસૂસે કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો પાકિસ્તાન મોકલી હોવાનું અનુમાન છે. બીજી તરફ બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરી કરી રહેલા એક શખ્સ ઠાર મરાયો છે. પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસી રહેલા શખ્સને BSF એ ફાયરીંગ કરી ઠાર માર્યો છે.
કચ્છથી જાસૂસ પકડાયો
ગુજરાત એટીએસએ સહદેવસિંહ દિપુભા ગોહિલ નામના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ધરપકડ કરી છે. આરોપી કચ્છના દયાપર ખાતે કોન્ટ્રાક્ટ ના કર્મચારી તરીકે કામ કરતો હતો એટીએસને માહીતી મળી હતી કે આરોપી પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને નેવીની ગુપ્ત માહીતી શેર કરતો હતો. જેના આધારે એટીએસએ ટીમ બનાવી તેની 1 માર્ચે પ્રાથમિક તપાસ અર્થે અટકાયત કરી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે, 2023 ના જુન-જુલાઇ દરમિયાન અદિતી ભારદ્વાજ નામની વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી સહદેવ સિંહના સંપર્કમાં આવી હતી.
અદિતી નામની મહિલાએ સહદેવ સિંહ પાસે બીએસએફ અને નેવીના હતાય અને અંડરકંસ્ટ્રશન વિસ્તારના ફોટો માંગ્યા હતા. આરોપીએ વોટ્સએપના માધ્યમથી ફોટો અને વિડિયો મોકલવાની શરુઆત કરી હતી. વર્ષ ૨૦૨૫ની શરુઆતમાં સહદેવ ગોહિલે પોતાના આધાર કાર્ડથી એક સીમની ખરીદી કરી હતી. જેના આધારે એક વોટ્સએપ એક્ટીવીટ કરી ઓટીપી અદિતી ભારદ્વાજને આપ્યો હતો. ત્યાર બાદ નેવી અને બીએસએફના વીડિયો ફોટો અને માહીતી શેર કરી હતી. આ દરમ્યાન એક વ્યક્તિએ ૪૦ હજાર રોકડ આરોપી સહદેવ ગોહિલને આપી હતી. આરોપીના ફોનની એફએસએલ તપાસના આધારે માહીતી મળી છે કે અદિતી ભારદ્વાજના નામે ઉપયોગમાં લેવાતું વોટ્સએપ પાકિસ્તાનમાં ઉપયોગ થયો હતો. જેના આધારે તેનો ઉપયોગ ભારત વિરોધી થતો હોઇ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીએસએફએ ચેતવણી આપી હતી. ના માન્યો તો વીંધી નાંખ્યો
બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ઠાર મરાયો છે. આ પાકિસ્તાની ઘૂસણખોર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 23 મે રાત્રે બીએસએફએની ચેતવણી છતાં આ પાકિસ્તાની ભારતીય સીમામાં ઘૂસી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના બનાસકાંઠા બોર્ડર પર બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો. બીએસએફના સતર્ક જવાનોએ 23 મે 2025ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સફળતાપૂર્વક ઠાર માર્યો.
બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી ભારતીય વિસ્તારમાં પ્રવેશતા એક શંકાસ્પદ વ્યક્તિને જોયો. જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે સતત આગળ વધતો રહ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો.
બ્રેકિંગ ન્યૂઝ : બનાસકાંઠા બોર્ડરથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પાકિસ્તાની ઠાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે