Home> Gujarat
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ, BJP ની બી ટીમ બની કામ કરતા કયા ફૂટેલા નેતાઓને કાઢી મૂકાશે?

Rahul Gandhi Big Action : રાહુલની તડાફડીથી બની બેઠેલા નેતાઓ ફફડ્યા... નિષ્ક્રિય, રિપીટ અને પ્રજાથી દૂર રહેનારા જૂના જોગીઓ ઘર ભેગા થશે.. ગુજરાત મોડલથી કોંગ્રેસ દેશભરમાં બનાવશે યુવા સંગઠન

રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ, BJP ની બી ટીમ બની કામ કરતા કયા ફૂટેલા નેતાઓને કાઢી મૂકાશે?

Gujarat Politics : રાહુલ ગાંધીએ ગુજરાત આવીને ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંક્યા છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં નવો સળવળાટ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલા પક્ષના ગદ્દારોને સીધા ઘર ભેગા કરવાની વાત કરી છે. જેમાં એક-બે નહિ, 30-40 લોકોને જરૂર પડ્યે હાંકી કાઢવાની વાત કરી છે. રાહુલ ગાંધીના એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસ નેતાઓમાં ફફડાટ પેદા થયો છે. કયા નેતાઓને પક્ષ પાણીચું આપી દેશે તે જાણવા સળવળાટ થયો છે. BJP ની બી ટીમ બની કામ કરતા કયા ફૂટેલા નેતાઓને કાઢી મૂકાશે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. 

fallbacks

રાહુલ ગાંધીના એક નિવેદનથી પક્ષના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને જે કહ્યું તે નેશનલ મુદ્દો બની ગયો છે. અહી ગાંધી અને સરદારની ભૂમિ પરથી નવું ગુજરાત મોડલ ઉભું કરવાની વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ એક સૂરમાં સ્પષ્ટ મેસેજ આપી દીધો કે, તૈયાર રહેજો, ભાજપ સાથે મળીને કામ કરતા નેતાઓને ગમે ત્યારે હાંકી કઢાશે. તેઓને સંગઠનથી દૂર કરવામાં આવશે. 

હાલ સૌની નજર ગુજરાતના યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર છે.  કોંગ્રેસનો આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ તો ગુજરાતથી થશે પણ 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશન બાદ આખા દેશમાં આ જ ગુજરાત મોડલ લાગુ કરાશે. સાથે જ રાહુલ ગાંધીએ નવા ચહેરાઓને તક આપવાની વાત કરી છે. સતત નિષ્ક્રીય અને રિપીટ થતી નેતાગીરીને હટાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે હવે આવા નામો પર કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. 

હોળીએ ડાકોર જવાના હોય તો આ રસ્તાઓ મળશે બંધ, ડાયવર્ઝન રુટ વાંચીને નીકળજો

નેતાઓએ રાહુલ ગાંધીને કરી હતી ફરિયાદ
રાહુલ ગાંધીએ નેતાઓ સાથે બેઠક કરીને ફરિયાદ કરી હતી કે, પક્ષના અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સાઠગાંઠ ધરાવે છે. જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે. પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી. જૂના નેતાઓ નાના કાર્યકરોનું સાંભળતા જ નથી. ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને લઇને લડી શકે તેવી હિંમત કોંગ્રેસના પીઢ નેતાઓમાં રહી નથી. 

ભાજપ ફાયદો ઉઠાવે છે
કેટલાક નેતાઓ દ્વારા ફરિયાદ કરાઈ કે, કોંગ્રેસ ગુજરાતની જનતાની નાડ પારખવામાં થાપ ખાઈ રહી છે. આ જ કારણ છે કે, ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. 

અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદમાં બરાબર એક મહિના પછી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતૃત્વ ઉપરાંત દેશભરમાંથી 3000 જેટલા નેતાઓ ભાગ લેશે. ચૂંટણીના રાજ્યોમાં આવા સંમેલનો ચોક્કસથી થોડા વહેલા યોજાય છે, પરંતુ ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે. રાહુલ ગાંધીનું અકાળે સક્રિય થવું અને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવું એ દિલ્હીની ચૂંટણીનો પ્રભાવ જણાય છે અને એવું લાગે છે કે કોંગ્રેસે 2022ની નહીં પણ 2017ની જેમ ગુજરાતની આગામી ચૂંટણી લડવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

રાહુલ ગાંધીના એક નિવેદન બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ભાજપને આપ્યો સણસણતો જવાબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More