Home> India
Advertisement
Prev
Next

Iran Israel War: ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું યુપીના આ ગામ સાથે છે ખાસ કનેક્શન, 1830 સાથે જોડાયેલી છે ઈનસાઈડ કહાની

Iran Israel War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનું એક ગામ અચાનક ચર્ચામાં આવ્યું છે. આ ગામનો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક સાથે ખાસ સંબંધ છે. ચાલો જાણીએ કેવી રીતે?

Iran Israel War: ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું યુપીના આ ગામ સાથે છે ખાસ કનેક્શન, 1830 સાથે જોડાયેલી છે ઈનસાઈડ કહાની

Iran Israel War: હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હવાઈ હુમલાના સમાચારોએ વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે રાજકીય ધમકીઓ અને સતત વિનાશ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતનું એક ગામ અચાનક ચર્ચામાં આવ્યું છે, જેનો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક સાથે ખાસ સંબંધ છે. અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં સ્થિત કિન્તુર ગામ વિશે, જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ વચ્ચે ચર્ચામાં છે.

fallbacks

યુપી ગામમાં ઈરાન માટે પ્રાર્થના
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના કિન્તુરનો 1979ની ઇસ્લામિક ક્રાંતિના વાસ્તુકાર અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સ્થાપક આયતુલ્લા રુહોલ્લાહ ખામેનેઈની સાથે પૂર્વજોનો સંબંધ છે. ખામેનેઈના આ કનેક્શને ફરી એકવાર વિશ્વનું ધ્યાન કિન્તુર ગામ તરફ ખેંચ્યું છે. હકીકતમાં આ ગામના લોકો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા અને ઈરાનમાં શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

24 જૂનથી ખુલશે આ રાશિની બંધ કિસ્મતના તાળા! ગુરુ બનાવશે પાવરફુલ ગજકેસરી રાજયોગ; થશે અચાનક ધનલાભ

1830 સાથે જોડાયેલી છે કહાની
મળતી માહિતી મુજબ 1830ની આસપાસ કિન્તુરમાં એક શિયા મૌલવી સૈયદ અહેમદ મુસાવી રહેતા હતા. તેમણે બ્રિટિશ શાસન દરમિયાન તેમના ધાર્મિક શિક્ષણ માટે ભારત છોડીને ઇરાક થઈને ઈરાન પહોંચ્યા હતા. ઈરાનમાં તેમણે પોતાની આધ્યાત્મિક અને ધાર્મિક શોધ ચાલુ રાખી અને ત્યાં સ્થાયી થયા. જો કે, તેમણે ભારત સાથેના સંબંધો તોડ્યા નહીં અને પોતાના નામમાં 'હિન્દી' ઉમેરીને પોતાની ભારતીય ઓળખ જાળવી રાખી.

રુહોલ્લાહ ખામેનેઈનો જન્મ
આ પછી આયતુલ્લા રુહોલ્લાહ ખામેનેઈએ ઈરાની શહેર ખોમેનમાં લગ્ન કર્યા અને પોતાનો પરિવાર સ્થાયી કર્યો. તેમના પછી તેમના પુત્ર મુસ્તફા હિન્દી પણ મૌલવી બન્યા. આ પછી 1902માં મુસ્તફા હિન્દીના પુત્ર રુહોલ્લાહ ખામેનેઈનો જન્મ થયો. રુહોલ્લાહ ખોમેનેઈને ધાર્મિક શિક્ષણનું જ્ઞાન તેમના દાદા અને પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. ઈરાનમાં ધીરે-ધીરે રુહોલ્લાહ ખામેનેઈને તેમની શિયા માન્યતાઓ અને પશ્ચિમી દખલગીરીના વિરોધને કારણે ધીમે ધીમે લોકોમાં ઓળખ મળવા લાગી. આ સાથે ખામેનેઈએ મૌલવીના પદ પર પ્રગતિ કરી, જેના કારણે તેમનો અવાજ વધુ બુલંદ બન્યો.

નહીં રહે કેદારનાથ-બદ્રીનાથ, ગંગા પણ થઈ જશે લુપ્ત! શું ખરેખર હિમાલયમાંથી આવવાનું છે વિનાશકારી તોફાન?

શાહ મોહમ્મદ રઝા પહેલવીની હાર
આ પછી જોતજોતામાં રુહોલ્લાહ ખામેનેઈએ એક શક્તિશાળી રાજકીય ઓળખ બનાવી લીધી. તેમણે વર્ષ 1960 અને 70ના દાયકામાં શાહ મોહમ્મદ રઝા પહેલવીના રાજાશાહી સામે ઘણું વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં તેમને ઈરાનના લોકોનો સંપૂર્ણ ટેકો મળ્યો. વર્ષ 1979માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ, જેણે શાહ મોહમ્મદ રઝા પહેલવીના રાજાશાહીનો તખ્તાપલટ થયો. આ કારણે શાહ મોહમ્મદ રઝા પહેલવીને તેમના પરિવાર સાથે ઈરાન છોડવું પડ્યું.

કિન્ટુરમાં હજુ પણ રહે છે ખામેનેઈનો પરિવાર
તમને જણાવી દઈએ કે, કિન્તુરના મહલ મોહલ્લામાં હજુ પણ આયતુલ્લાહ રુહોલ્લાહ ખામેનેઈનો પરિવાર રહે છે. આ પરિવારમાં નિહાલ કાઝમી, ડો. રેહાન કાઝમી અને આદિલ કાઝમી ગર્વથી પોતાને અહેમદ મુસાવી હિન્દીના વંશજ કહે છે. તેમના ઘરની દિવાલો પર ખામેનેઈના ફ્રેમવાળા ફોટોગ્રાફ્સ શણગારેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More