Home> India
Advertisement
Prev
Next

New Passport Rules: સરકારે પાસપોર્ટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, પતિ-પત્નીને થશે ફાયદો, નહીં પડે આ દસ્તાવેજની જરૂર

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ જોડવા માટે હવે મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી. વિદેશ મંત્રાલયે નિયમ બદલી પ્રક્રિયા સરળ બનાવી છે. આ નિયમ તત્કાલ પ્રભાવથી લાગૂ થયો છે.

New Passport Rules: સરકારે પાસપોર્ટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, પતિ-પત્નીને થશે ફાયદો, નહીં પડે આ દસ્તાવેજની જરૂર

New Passport Rules 2025:  કપલે વિદેશ યાત્રા કરવા માટે પાસપોર્ટમાં નામ સામેલ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોએ મેરેજ સર્ટિફિકેટ આપવું પડતું હતું, પરંતુ આપણા સમાજમાં હજુ ઘણા લોકો એવા છે જે પરંપરાગત લગ્ન કરે છે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવતા નથી. આ કપલે પાસપોર્ટમાં નામ સામેલ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ સરકારે પાસપોર્ટમાં નામ સામેલ કરવા માટેના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે પોતાના જીવનસાથી (પતિ કે પત્ની) નું નામ સામેલ કરવું સરળ થઈ ગયું છે.

fallbacks

હકીકતમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે નામ સામેલ કરવા માટે લગ્નનું સર્ટિફિકેટ દેખાડવું જરૂરી નથી. સરકારે આ નિયમ રદ્દ કર્યો છે. નવા નિયમ હેઠળ અરજીકર્તાએ માત્ર પોતાના સાથીનું નામ અને કેટલીક જાણકારી આપવી પડશે.

શું છે નિયમ?
અગાઉ, પાસપોર્ટમાં પતિ અથવા પત્નીનું નામ ઉમેરવા માટે, લગ્નનું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ સત્તાવાર દસ્તાવેજ દર્શાવવો પડતો હતો. પરંતુ, હવે આની જરૂર રહેશે નહીં. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આનાથી એવા લોકોને રાહત મળશે જેમની પાસે લગ્નનું પ્રમાણપત્ર નથી અથવા જેમના લગ્ન પરંપરાગત રીતે થયા છે.

આ પણ વાંચોઃ આતંકી રાણા મામલામાં મોટું ટ્વિસ્ટ, અમેરિકાની એક શરતને કારણે ભારત નહીં કરી શકે આ કામ

પ્રક્રિયા કેવી રીતે થશે?
અરજી કરતી વખતે, તમારે ફક્ત તમારા જીવનસાથીનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને આધાર નંબર જેવી માહિતી પ્રદાન કરવી પડશે. આ પછી પાસપોર્ટ અધિકારીઓ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. પ્રક્રિયાને ઝડપી અને મુશ્કેલીમુક્ત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

લોકોને મળશે રાહત
આ નિયમમાં ફેરફારથી ખાસ કરીને ગ્રામિણ વિસ્તારના તે દંપત્તિને ફાયદો થશે, જેની પાસે લગ્નનું કોઈ લેખિત પ્રમાણ હોતું નથી. સાથે વિદેશ યાત્રા દરમિયાન ઓળખ સાથે જોડાયેલી સમસ્યા પણ ઓછી થશે. મંત્રાલયનું કહેવું છે કે આ પગલું નાગરિકોની સુવિધા અને ડિજિટલ ઈન્ડિયાના લક્ષ્યને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે.

ક્યારથી થશે લાગૂ?
નવો નિયમ તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગયો છે. પાસપોર્ટ સેવા કેન્દ્રો પર હવે આ સરળ પ્રક્રિયા હેઠળ અરજી સ્વીકાર કરવામાં આવી રહી છે. આ ફેરફાર પાસપોર્ટ નિયમોને વધુ સરળ બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More