Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss Tea: સવારની ચામાં આ મસાલો ઉમેરી દો, ઝડપથી ઘટશે પેટની ચરબી, સાથે થશે આ 4 ફાયદા

Weight Loss Tea: પેટની ચરબી ઓગળે તે માટે અનેક પ્રયત્ન કર્યા પછી પણ સફળ ન થતા હોય તો આ ઉપાય તમારા માટે જ છે. આજે તમને પેટની ચરબી ઉતારવાનો સૌથી અસરકારક અને સરળ રસ્તો જણાવીએ. તમારે બીજું કંઈ નથી કરવાનું બસ સવારની ચામાં એક મસાલો ઉમેરી પીવાની છે. 
 

Weight Loss Tea: સવારની ચામાં આ મસાલો ઉમેરી દો, ઝડપથી ઘટશે પેટની ચરબી, સાથે થશે આ 4 ફાયદા

Weight Loss Tea: સવારની શરુઆત ગરમાગરમ ચા સાથે થતી હોય છે. સવારની આ ચા તમારા પેટ પર જામેલી ચરબીને ઓગાળી નાખશે. જો તમે સવારની ચામાં આ વસ્તુ ઉમેરી પીવાની શરુઆત કરશો તો ગણતરીના દિવસોમાં જોશો કે પેટની ચરબી ઓછી થવા લાગી છે. 

fallbacks

આ પણ વાંચો: Papaya Facial Benefits: પાકા પપૈયાનો આ રીતે ઉપયોગ કરો, ફેશિયલ હેર વેક્સ વિના થશે દુર

જે મસાલાની વાત થઈ રહી છે તે છે મરી. સવારની ચામાં મરી ઉમેરી પીશો તો પેટની ચરબી ઓછી થશે અને સાથે જ ચાનો સ્વાદ પણ વધી જશે. વજન ઘટાડવા માટે મરીવાળી ચા રામબાણ છે. કાળા મરીવાળી ચા રુટીનમાં સામેલ કરી દો. તેનાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપથી વધે છે અને ફેટ ઝડપથી બળશે.

આ પણ વાંચો: 15 થી 20 મિનિટમાં જામી જાશે દહીં, ઈમરજન્સી હોય ત્યારે આ સ્ટેપ ફોલો કરી દહીં જમાવજો

કાળા મરીની ચા કેવી રીતે કરે અસર ?

કાળા મરીમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરની ગંદકી બહાર કાઢે છે. તેનાથી પાચન સુધરે છે અને શરીરમાં ચરબી જામવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. તેનાથી વારંવાર ખાવા-પીવાની ક્રેવિંગ થતી નથી.

આ પણ વાંચો: આ રાયતું બનાવશો તો થેપલા-પરોઠા સાથે શાક નહીં બનાવવું પડે, સ્વાદ પણ દાઢે વળગી જાય એવો

કેવી રીતે બનાવવી કાળા મરીની ચા ?

એક કપ પાણીમાં નોર્મલ ચા પત્તી અને આદુ સાથે મરી પાવડર ઉમેરો. ચા ઉકળી જાય તેને કપમાં કાઢી તેમાં લીંબુ ઉમેરી પી લો. સવારે ખાલી પેટ આ ચા પીવાથી થોડા જ દિવસમાં ફેરફાર દેખાવા લાગશે. 

આ પણ વાંચો: ડુંગળીના રસ સાથે આ વસ્તુ ત્યાં લગાડો જ્યાંથી વાળ ખરી ગયા હોય, કાળા વાળ ઉગવા લાગશે

કાળા મરીથી થતા 4 ફાયદા 

1. કાળા મરી પેટમાં ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાથી રાહત આપે છે.
2. વિટામિન સી અને એન્ટી ઓક્સીડન્ટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 
3. ડાયાબિટીસના દર્દી માટે આ ચા લાભકારી છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
4. એન્ટી બેક્ટેરિયલ ગુણના કારણે ગળાની તકલીફ અને શરદીથી પણ રાહત મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More