Tulsi ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તો તુલસી સંબંધિત કેટલાક ઉપાયો પણ જણાવાયા છે. આ ઉપાયો વ્યક્તિના આર્થિક સંકટ દુર કરે છે તેવી માન્યતા છે. આવા જ ઉપાયોમાંથી એક ઉપાય વિશે આજે તમને જણાવીએ. આ ઉપાય કરવા માટે તમને ખાલી 1 રુપિયાના સિક્કાની જરૂર પડશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 29 મે 2025: મેષ રાશિ માટે આજનો દિવસ સારો, કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલા તુલસીના કુંડાની માટીમાં તુલસીના મૂળ પાસે 1 રુપિયાનો સિક્કો દાટી દેવો જોઈએ. માન્યતા છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાય કર્યા પછી જેમ જેમ તુલસીનો છોડ વધશે તેમ તેમ તમારા ઘરમાં ધન-સમૃદ્ધિ વધશે. આ ઉપાય કરનારના જીવનમાં આર્થિક સંકટ આવતું નથી.
તુલસીના છોડમાં સિક્કો રાખવા લાભ કેવી રીતે થાય ?
આ પણ વાંચો: ઘઉં દળાવવા માટે કયો દિવસ શુભ ? જાણો કારણ કે ઘઉંના લોટનો સમૃદ્ધિ સાથે સીધો સંબંધ છે
તુલસીનો છોડ પવિત્ર અને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર છે. તેમાં સિક્કો રાખવાથી સકારાત્મક ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘરના વાતાવરણમાં શુભતા વધે છે. જો ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તુલસીના કુંડામાં ચાંદી અથવા ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો. તેનાથી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટી જાય છે.
આ પણ વાંચો: ઘરની આ જગ્યાએ રાખેલું મોરપંખ આકર્ષિત કરે છે સમૃદ્ધિ, ખુલી જાય છે ધન આગમનના રસ્તા
કુંડળીમાં શનિ, રાહુ ગ્રહોનો દોષ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે પણ તુલસીના કુંડામાં 1 રુપિયાનો સિક્કો રાખી શકાય છે. તેનાથી શનિ અને રાહુ દોષ દુર થાય છે. જો કે તુલસીનો સિક્કો રાખ્યા પછી નિયમિત તુલસીની પૂજા થાય તે જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે