Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 પ્લેઓફમાં પહોંચવા માટે કેટલા પોઈન્ટ જરૂરી ? આ 3 ટીમોની સફર ટૂંક સમયમાં થઈ શકે છે ખતમ

IPL Playoffs 2025 : IPL 2025માં ગુજરાત ટાઇટન્સ 23 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેના સિવાય દિલ્હી કેપિટલ્સ, બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ટોપ-4માં છે. જો કે, હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નાઈ પ્લેઓફની રેસમાં સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

IPL 2025 પ્લેઓફમાં પહોંચવા માટે કેટલા પોઈન્ટ જરૂરી ? આ 3 ટીમોની સફર ટૂંક સમયમાં થઈ શકે છે ખતમ

IPL Playoffs 2025 : IPL 2025માં અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ છે. આ સાથે જ પ્લેઓફની ગણતરી શરૂ થઈ ગઈ છે. તમામ 10 ટીમોએ ઓછામાં ઓછી 3 મેચ રમી છે. આઈપીએલ પોઈન્ટ ટેબલ 2025 સીઝન એક વિચિત્ર રીતે આગળ વધી રહી છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સિઝનની રનર્સ અપ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છેલ્લા ત્રણ સ્થાને છે. ત્રણેય ટીમોને 4-4 હારનો સામનો કરવો પડ્યો છે અને પાંચ મેચ બાદ માત્ર 2 પોઈન્ટ છે. ત્રણેયનો નેટ રન રેટ માઈનસમાં છે.

fallbacks

આ ચાર ટીમો IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોપ પર 

23 મેચો પછી શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેના 5 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે. તેના 3 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે, જ્યારે RCBના 4 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સના પણ 4 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે. નેટ રન રેટના આધારે આ બંને ટીમોની રેન્કિંગ ઉપર અને નીચે છે. તમને જણાવી દઈએ કે IPLમાં દરેક ટીમને લીગ સ્ટેજમાં 14 મેચ રમવાની તક મળે છે.

ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી...પાકિસ્તાન બહાર! આ 6 ટીમો લેશે ભાગ

IPL પ્લેઓફમાં પહોંચવા માટે કેટલા પોઈન્ટની જરૂરી ?

હવે સવાલ એ છે કે IPL પ્લેઓફમાં પહોંચવાની રેસમાં ઓછામાં ઓછી કેટલી જીત અને પોઈન્ટની જરૂર છે. દરેક સિઝનમાં અલગ અલગ હોય છે. જો કે, એવું માનવામાં આવે છે કે 8 મેચ જીતનારી ટીમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી જશે. ઘણી વખત એવું થયું છે કે ટીમો 14 પોઈન્ટ સાથે પણ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ છે. ટીમ 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પણ પહોંચી ગઈ છે, પરંતુ આ મોટાભાગે નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવે છે.

KKR 14 પોઈન્ટ સાથે 2021માં પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું

2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. તે સમયે મુંબઈ ઈન્ડિયન્સના પણ 14 પોઈન્ટ હતા, પરંતુ KKRની નેટ રન રેટ વધુ સારી હતી. તમને જણાવી દઈએ કે IPLમાં દરેક જીત પછી 2 પોઈન્ટ આપવામાં આવે છે, જ્યારે નેટ રન રેટ જીત અને હાર વચ્ચેના તફાવતના આધારે ગણવામાં આવે છે. ટાઈ મેચમાં ટીમો વચ્ચે એક પોઈન્ટ વહેંચવામાં આવે છે.

કોણ છે આ સ્ટાર ઓલરાઉન્ડર ? IPL 2025 વચ્ચે KKRએ અચાનક ટીમમાં આપી એન્ટ્રી

IPL પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેવાનો શું ફાયદો છે ?

અહીં બીજી રસપ્રદ વાત એ છે કે રેન્કિંગમાં ટોપ-2 ટીમોને ફાઇનલમાં પહોંચવાની ઓછામાં ઓછી બે તકો મળે છે. ક્વોલિફાયર-1 ટોપ-2 ટીમો વચ્ચે રમાય છે. વિજેતા ટીમને ફાઇનલમાં સીધી ટિકિટ મળે છે, જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચના વિજેતા સાથે ક્વોલિફાયર-2 રમે છે. આ મેચની વિજેતા ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More