Home> Sports
Advertisement
Prev
Next

કંગાળ પાકિસ્તાને બતાવી પોતાની ઓકાત, ભારતે રમવાનો ઇનકાર કર્યો તો અકળાયો આફ્રિદી

Ind vs Pak : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવી પડી હતી. ઘણા ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યા બાદ મેચ રદ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે પાકિસ્તાન ચેમ્પિયનોએ પોઈન્ટ શેર કરવાનો ઇનકાર કરી દીધો છે.

કંગાળ પાકિસ્તાને બતાવી પોતાની ઓકાત, ભારતે રમવાનો ઇનકાર કર્યો તો અકળાયો આફ્રિદી

Ind vs Pak : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારતની પીછેહઠ બાદ ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી. મેચ રમાઈ નહોતી તેથી બંને ટીમોને સામાન્ય રીતે 1-1 પોઈન્ટ મળે છે. પરંતુ હવે શાહિદ આફ્રિદીની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમે પોઈન્ટ શેર કરવાનો ઇનકાર કરી દીધો છે.

fallbacks

આ કારણોસર મેચ રદ કરવામાં આવી હતી

આ મેચ 20 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમવાની હતી, પરંતુ ભારતમાં પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદની તંગ પરિસ્થિતિને કારણે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવાનો ઇનકાર કર્યો હતો. સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ જેવા ઘણા અગ્રણી ભારતીય દિગ્ગજો આ મેચમાંથી ખસી ગયા હતા. શિખર ધવને 11 મેના રોજ જ આયોજકોને આ અંગે જાણ કરી હતી. ભારતીય ખેલાડીઓના આ નિર્ણય પછી WCL આયોજકોએ મેચ રદ કરવાની જાહેરાત કરી હતી અને ચાહકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી હતી.

પાકિસ્તાનનો નવો હોબાળો શરૂ 

મેચ રદ થયા પછી બંને ટીમોને સામાન્ય રીતે 1-1 પોઈન્ટ મળે છે. જોકે, પાકિસ્તાન ચેમ્પિયન્સે ભારત સાથે પોઈન્ટ શેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેની દલીલ છે કે ભારતે પોતે જ મેચ રમવાનો ઇનકાર કર્યો હોવાથી તેને સંપૂર્ણ બે પોઈન્ટ મળવા જોઈએ. પાકિસ્તાન ટીમના માલિક કામિલ ખાને પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. 

પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું

ANIના અહેવાલ મુજબ, WCLએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને જાણ કરી છે કે તેઓ, એક આયોજક તરીકે આ મેચનું આયોજન કરી શક્યા નથી અને ભારતીય ટીમનો આમાં કોઈ વાંક નથી. આમ છતાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમ પોઈન્ટ શેર કરવા તૈયાર નથી કારણ કે તેમનું માનવું છે કે ભારતે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે તેમણે નહીં. WCL આયોજકો આ પોઈન્ટ વિવાદને કેવી રીતે ઉકેલે છે તે જોવું રસપ્રદ રહેશે.

પાકિસ્તાન ચેમ્પિયન્સના માલિક કામિલ ખાને કહ્યું હતું કે ભારતે તેની સામે રમવાનો ઇનકાર કર્યા બાદ તેની ટીમ બે પોઈન્ટની હકદાર છે. તેણે કહ્યું હતું કે, 'જો આપણે ફાઇનલમાં પહોંચીશું, તો પછી નિર્ણય લેવામાં આવશે અને જ્યાં સુધી આ મેચનો સવાલ છે, તો અમને બે પોઈન્ટ આપવામાં આવે અને નિયમો મુજબ અમે તે પોઈન્ટના હકદાર છીએ.' પાકિસ્તાનની ટીમ જે ગત સિઝનની રનર-અપ હતી, તેણે વર્તમાન સિઝનની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું. હવે તેનો આગામી મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે, જ્યારે ભારત પણ તે જ ટીમ સામે પોતાનું અભિયાન શરૂ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More