Home> Technology
Advertisement
Prev
Next

AC ચલાવતી વખતે પંખો ચાલુ કરવો જોઈએ કે બંધ રાખવો જોઈએ? 90% લોકો કરે છે આ સામાન્ય ભૂલ, જાણો સાચો જવાબ

જો તમે AC ની સાથે પંખો પણ ચલાવો છો, તો ઠંડી હવા રૂમમાં ઝડપથી અને સમાનરૂપે ફેલાય છે, જેનાથી સારી ઠંડક મળે છે. આનાથી વીજળીની પણ બચત થાય છે અને ઠંડકનો અનુભવ વધુ આરામદાયક બને છે.

 AC ચલાવતી વખતે પંખો ચાલુ કરવો જોઈએ કે બંધ રાખવો જોઈએ? 90% લોકો કરે છે આ સામાન્ય ભૂલ, જાણો સાચો જવાબ

ગરમી આવવાની સાથે લોકો રાહત મેળવવા માટે એર કંડીશનર  (AC) નો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે એસી ઓન હોય છે તો એક સવાલ બધાના મનમાં આવે છે કે શું એસી સાથે પંખો પણ ચલાવવો જોઈએ કે નહીં? કેટલાક લોકો પંખો બંધ રાખે છે જ્યારે કેટલાક ચાલુ રાખે છે, પરંતુ સાચી રીત કઈ છે, તે ખૂબ ઓછા લોકો જાણે છે. આવો આજે તમને આ સવાલનો સરળ અને સાચો જવાબ જણાવીએ.

fallbacks

AC અને પંખો સાથે ચલાવવાના ફાયદા
જો તમે વિચારો છો કે એસી ચલાવવાથી આખો રૂમ ઠંડો થઈ જશો, તો તમે અધૂરી જાણકારી પર ભરોસો કરી રહ્યાં છો. હકીકતમાં જ્યારે તમે એસીની સાથે પંખો પણ ચલાવો છો તો ઠંડી હવા આખા રૂમમાં ઝડપથી ફેલાય છે. તેમનો મતલબ છે કે આખા રૂમમાં એકસમાન ઠંડક મળે છે.

1. હવાનું વધુ સારું પરિભ્રમણ
જ્યારે પંખો ચાલુ હોય છે, ત્યારે રૂમમાં ઠંડી હવા એક જગ્યાએ અટકતી નથી, પરંતુ ફરતી રહે છે. આનાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે.

આ પણ વાંચોઃ HONDA એ માર્કેટમાં ઉતારી ₹5.12 લાખની ધાંસૂ બાઇક, બુકિંગ શરૂ, જાણી લો ખાસિયતો

2. વીજળી બચત
જ્યારે રૂમ ઝડપથી ઠંડો થઈ જાય છે, ત્યારે લાંબા સમય સુધી એસી ચલાવવાની જરૂર નથી. આનાથી વીજળીનું બિલ ઓછું થાય છે અને તમારા ખિસ્સા પર પણ હળવી અસર પડે છે.

3. વધુ આરામદાયક ઠંડક
ક્યારેક એસીમાંથી નીકળતી હવા રૂમના એક જ ભાગમાં અનુભવાય છે. પરંતુ પંખો તેને આખા રૂમમાં ફેલાવે છે, જેનાથી ઠંડક વધુ કુદરતી અને આરામદાયક લાગે છે.

શું દરેક રૂમમાં પંખાની જરૂર હોય છે?
જરૂરી નથી કે દર વખતે એસીની સાથે પંખો ચલાવવો પડે. જો તમારો રૂમ નાનો છે અને તેમાં વધુ ટનનું એસી લાગેલું છે તો પંખા વગર પણ ઠંડક થઈ શકે છે. તેવા મામલામાં પંખો જરૂરી નથી, પરંતુ જો તમને લાગે ઠે કે ઠંડી હવા એક જેવી ફેલાઈ રહી નથી તો પંખો ચલાવવો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

પરિણામ શું આવ્યું?
તમે જ્યારે પણ એસી ચાલુ કરો તો રૂમની સાઇઝ અને એસીની ક્ષમતા ધ્યાનમાં રાખી નિર્ણય લો, પરંતુ મોટા ભાગના મામલામાં એસીની સાથે પંખો ચલાવવો સારો વિકલ્પ હોય છે. ન માત્ર ઠંડક માટે, પરંતુ વીજળી બચાવવા અને વધુ કમ્ફર્ટ માટે પણ.

યાદ રાખો, સાચી માહિતી એ સાચા નિર્ણયની ચાવી છે. આગલી વખતે જ્યારે તમે AC ચાલુ કરો, ત્યારે પંખો પણ ચાલુ કરવાનો પ્રયાસ કરો. તમે પોતે જ ફરક અનુભવશો. જો તમે ઇચ્છો તો, આ લેખ સોશિયલ મીડિયા અથવા ફેમિલી ગ્રુપ પર શેર કરો, કારણ કે 90% લોકો હજુ પણ આ સરળ યુક્તિ જાણતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More