Indian Citizens Stuck in Israel Iran: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં 36000 ભારતીયો ફસાયેલા છે. 4000 ભારતીયો ઈરાનમાં રહે છે, જેમાંથી લગભગ 1500 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી 1300 કાશ્મીરી વિદ્યાર્થીઓ છે. 32000 ભારતીયો ઇઝરાયલમાં ફસાયેલા છે અને તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે.
વાદળોના ગડગડાટ-વિજળીના કડાકા સાથે દ.ગુજરાતમાં ભારે વરસાદ; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!
આ ભારતીયોના પરિવારો હવે તેમની સલામતી અંગે ચિંતિત છે. સ્થિતિ બગડતી જોઈને ભારત સરકાર આર્મેનિયા થઈને ઈરાનથી ભારતીયોને બહાર કાઢવા અને તેમને પોતાના વતન પાછા લાવવાનું વિચારી રહી છે. ભારતીય દૂતાવાસે દેશમાં પાછા ફરવા માંગતા લોકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા જણાવ્યું છે.
બે-બે વખત મોતના મુખમાંથી બચી ગયો છે આ યુવક; કહાની સાંભળીને સ્તબ્ધ થઈ જશો
ભારતીયોનું રક્ષણ કરી રહ્યું છે ઈરાન
ઈરાનના વિદેશ મંત્રાલયે ભારતીયોની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને કહ્યું કે તેહરાનમાં ભારતીય દૂતાવાસ ભારતીયોની સુરક્ષા સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમનો સંપર્ક કરી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં દૂતાવાસની મદદથી વિદ્યાર્થીઓને ઈરાનની અંદર સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
'કોંગ્રેસ વિધાયક છું પરંતુ RSS સાથે પણ જોડાયેલો છું', દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ
ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો અને અહીં રહેતા ભારતીય મૂળના લોકોએ દૂતાવાસના સંપર્કમાં રહેવું પડશે. ઈરાનમાં બિનજરૂરી હિલચાલ ટાળો. અપડેટ્સ માટે દૂતાવાસના સોશિયલ મીડિયા પેજ તપાસતા રહો. દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીયો માટે ઇમરજન્સી સંપર્ક નંબરો પણ જાહેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે