Home> World
Advertisement
Prev
Next

લોહીયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહૂનો મોટો દાવો, ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ લોહીયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈઝરાયેલ તેને પોતાની અસ્તિત્વની લડાઈ ગણાવી રહ્યું છે. જેના માટે તેણે શુક્રવારે સવારે ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું. ઈરાને પણ વળતો પ્રહાર કર્યો. હવે ઈઝરાયેલી પીએમએ એક મોટો દાવો કર્યો છે. 

લોહીયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહૂનો મોટો દાવો, ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના 'નંબર વન' દુશ્મન છે. એટલું જ નહીં તેમનો દાવો છે કે ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરે છે. શુક્રવારથી જ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ લોહિયાળ સંઘર્ષ ચાલુ છે. 

fallbacks

સમાચાર એજન્સી એએનઆઈએ ફોક્સ ન્યૂઝના હવાલે લખ્યું કે નેતન્યાહૂએ કહ્યું કે, 'તેઓ તેમને મારવા માંગે છે, તે દુશ્મન નંબર એક છે'. ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યુંકે, તેઓ એક નિર્ણાયક નેતા છે. તેમણે સમાધાનનો એ રસ્તો ક્યારેય અપનાવ્યો નથી જે બીજા અપનાવી રહ્યા છે. સમાધાનનો રસ્તો નબળો છે, જેનાથી તેમને યુરેનિયમ વધારવાનો રસ્તો મળે છે, જે બોમ્બ બનાવવાનો રસ્તો તૈયાર કરે છે અને અબજો ડોલર ખર્ચ કરાય છે. 

નેતન્યાહૂએ કહ્યું કે, તેમણે ફેક કરાર લીધો અને તેને ફાડી નાખ્યો. તેમણે કાસિમ સુલેમાનીની હત્યા કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે તમે પરમાણુ હથિયારો રાખી શકો નહીં, જેનો અર્થ એ છે કે તમે યુરેનિયમને વધારી કરી શકો નહીં. તેમણે ખુબ દબાણ બનાવ્યું છે જેના પગલે તેઓ તેમના દુશ્મન નંબર વન છે.

ઈઝરાયેલના પીએમનો એવો પણ દાવો છે કે તેઓ પણ ઈરાનના ટાર્ગેટ પર છે. તેમણે ઈરાનના  પરમાણુ હથિયારો વિરુદ્ધ જંગમાં પોતાને ટ્રમ્પના 'જૂનિયર પાર્ટનર' ગણાવ્યા છે. 

ઈઝરાયેલે કેમ કર્યો ઈરાન પર હુમલો
ઈઝરાયેલે શુક્રવારે સવારે ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું. જેમાં ઈરાનના પરમાણુ મિસાઈલ, અને સૈન્ય માળખાને નિશાન બનાવ્યા. ત્યારબાદ ઈરાને પણ ઈઝરાયેલ પર જવાબી કાર્યવાહી કરી. જેનાથી ઈઝરાયેલ પર ઈરાન તરફથી જોરદાર હુમલાની આશંકા પેદા થઈ છે. કારણ કે ઈરાન તરફથી કેટલીક મિસાઈલો ઈઝરાયેલની એર ડિફેન્સને ભેદીને દેશમાં વચ્ચો વચ્ચ બનેલી ઈમારતોને ટાર્ગેટ કરવામાં સફળ થઈ. 

નેતન્યાહૂએ પહેલેથી કહ્યું હતું કે, અમે અહીં એટલા માટે છે કારણ કે અમે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છીએ.  જે હવે ઈઝરાયેલના દરેક નાગરિક માટે સ્પષ્ટ છે. વિચારો કે જો ઈરાન પાસે ઈઝરાયેલના શહેરો પર નાખવા માટે પરમાણુ હથિયારો હોત તો શું થાત. તેમણે કહ્યું કે વિચારો કે જો ઈરાન પાસે આ પ્રકારની 20,000 મિસાઈલો હોત તો. આ ઈઝરાયેલ માટે અસ્તિત્વનું જોખમ છે. આથી અમે વિનાશના બેવડા જોખમ વિરુદ્ધ મુક્તિનું યુદ્ધ શરૂ કર્યું છે. અમે તેને પૂરી તાકાત સાથે કરી રહ્યા છીએ. અમારા સૈનિકો, અમારા પાઈલોટ્સ, ઈરાનના આકાશમાં છે. તેમણે નાગરિકોને ઈરાની મિસાઈલ હુમલા દરમિયાન હોમ ફ્રન્ટ કમાન્ડના નિર્દેશોનું પાલન કરવા કહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More